10 મિનિટ પેહલા
- કૉપી લિંક
જગતજનની માતા દુર્ગાની ભક્તિનો અનેરો અવસર નોરતાં આવી પહોંચ્યાં છે. વાચકોને ખ્યાલ હશે જ કે નવરાત્રિના નવેનવ દિવસ દરમિયાન દરરોજ માતાજીના એક આગવા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપોનાં નામ આ પ્રમાણે છેઃ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી. માતાજીના આ દરેક સ્વરૂપની અનોખી આભા અને અનેરું માહાત્મ્ય છે. દરેક સ્વરૂપ, તેનો શણગાર, વાહન, શસ્ત્રો, તેમની પૂજા કરવાની વિધિ, એમના બીજમંત્રો તથા તેમની આરાધનાથી મળતું ફળ બધું જ અલગ છે.
આ નવરાત્રિએ ‘દિવ્ય ભાસ્કર’ આપના માટે એક ખાસ પ્રસ્તુતિ લાવ્યું છે. પહેલા નોરતાથી નવમા નોરતા સુધી દિવ્ય ભાસ્કરની એપ પર આપને દરરોજ માતાજીનાં આ દરેક સ્વરૂપનાં દર્શન કરવા મળશે. એટલું જ નહીં, ઘેરબેઠાં આપ માતાજીના દરેક સ્વરૂપની વર્ચ્યુઅલ આરતી કરી શકશો અને પ્રસાદ પણ ધરાવી શકશો. સાથોસાથ દરેક સ્વરૂપના પ્રસિદ્ધ મંદિર તથા માતાજીના સ્વરૂપને વિગતવાર સમજાવતો એક અભ્યાસ તથા ભક્તિપૂર્ણ વીડિયો પણ નિહાળી શકશો.
દિવ્ય ભાસ્કરની આ ખાસ પ્રસ્તુતિ પહેલા નોરતાથી શરૂ થશે અને આખી નવરાત્રિ ચાલશે. નવરાત્રિ દરમિયાન દિવ્ય ભાસ્કરની એપ ખેલતાંવેંત આપને આ વર્ચ્યુઅલ દર્શનનું બેનર અથવા હોમ પેજ પર તેની સ્ટોરી દેખાશે, જેના પર ક્લિક કરવાથી આપ આ દર્શનનો લાહવો લઇ શકશો.
યાદ રહે, આ અનોખાં વર્ચ્યુઅલ દર્શન આપ દિવ્ય ભાસ્કરની એપ પર જ કરી શકશો. માટે આપ અથવા આપના સ્વજનો-મિત્રોએ દિવ્ય ભાસ્કર એપ ડાઉનલોડ ન કરી હોય તો પ્લે સ્ટોર પરથી અવશ્ય ડાઉનલોડ કરી લેશો.