સુરત શહેરમાં આ વર્ષની દુર્ગા પૂજા અને વિસર્જન દરમિયાન પર્યાવરણની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 (BNSS) ની કલમ 163 હેઠળ 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી જાહેરનામું બહાર પાડ
.
પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જારી સૂચનાઓ જાહેરનામામાં મૂર્તિઓની ઊંચાઈ, પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)નો ઉપયોગ અને વિસર્જન કેન્દ્રો સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. તેમજ મૂર્તિ વિસર્જન માટે નિર્ધારિત રૂટને અનુસરીને, હાનિકારક રસાયણોનો ઉપયોગ ન કરવા અને કુદરતી જળ સ્ત્રોતોમાં વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 223 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીની જોગવાઈ છે. સુરત શહેરમાં શાંતિ અને પર્યાવરણની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
પ્રતિબંધ (1) દુર્ગા માતાજીની માટીની મુર્તિઓ બેઠક સહીતની “4” ફૂટ કરતા વધારે ઊંચાઇની બનાવવા, વેંચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગો ઉપર પરીવહન કરવા ઉપર પ્રતિબંધ (2) દુર્ગા માતાજીની પી.ઓ.પી.ની મુર્તિઓ બનાવવા, વેંચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગો ઉપર પરીવહન કરવા ઉપર. (3) S.M.C. દ્વારા દુર્ગા માતાજીની મુર્તિઓના વિસર્જન માટે નિયત કરવામાં આવનાર સ્વીકાર કેન્દ્રો સિવાયના અન્ય કુદરતી સ્થળે મુર્તિઓના વિસર્જન કરવા ઉપર. (4) મુર્તિકારો જે જગ્યાએ મુર્તિઓ બનાવવાની કામગીરી કરે છે, તે જગ્યાની આજુબાજુ કોઇ પ્રકારની ગંદકી કરવા કે કોઇ પણ પ્રકારની મુર્તિ રોડ ઉપર જાહેરમાં ખૂલ્લી રાખવા ઉ૫૨. (5) દુર્ગા માતાજીની માટીની મુર્તિઓના સ્થાપના દિવસ બાદ મુર્તિકારોએ વધેલી તથા ખંડીત મુર્તિઓને બિન- વારસી હાલતમાં મુકવા ઉપર. (6) કોઇ પણ ધર્મના લોકોની લાગની દુભાય એવા કોઇ ચિન્હો,કે નિશાનીવાળી મુર્તિઓ બનાવવા, ખરીદવા, તથા વેચવા ઉપર. (7) શ્રી દુર્ગા માતાજીની મુર્તિઓના વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર (8) પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા જવા ઉપર. (9) મુર્તિઓની બનાવટમાં પાણીમા સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર (10) કોઇ પણ આયોજક/ વ્યક્તિ પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા કુદરતી જળ સ્ત્રોત જેવા કે, તળાવ કુવા, નદી, નહેર વગેરે જેવી જગ્યાએ મા દુર્ગાની મુર્તિઓનુ વિસર્જન કરી શકશે નહીં. (11)મુર્તિ વિસર્જન માટે સરકારના વન અને પર્યાવરણ વિભાગ/ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઠરાવેલ પદ્ધતિ સિવાયની કોઇ પણ પધ્ધતિથી મુર્તિ વિસર્જન કરી શકશે નહીં.