વલસાડ તાલુકાના દિવેદ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના 4 ઓરડા વર્ષ 2017માં જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતા. શાળાના મુખ્ય શિક્ષક અને SMC સભ્યો અને વાલીઓ દ્વારા શાળામાં નવા ઓરડા બનાવી આપવા શિક્ષણ વિભાગમાં વારંવાર રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 24-25ના
.
વલસાડ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા દર વર્ષે ચેકીંગમાં શાળાઓના ઓરડાનું ચેકીંગ કરવામાં આવે છે. જે ઓરડાઓ વિદ્યાર્થીઓ માટે ભયજનક જણાઈ આવતા તેવા ઓરડાઓને વિદ્યાર્થીઓ માટે પ્રવેશબંધ જાહેર કરી જર્જરિત ઓરડાઓ તોડી પાડવા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને જણાવવામાં આવે છે. વર્ષ 2017માં વલસાડ તાલુકાના દિવેદ ગામની પ્રાથમિક શાળાની જર્જરિત શાળા તરીકે જાહેર કરવા આવી હતી. વર્ષ 2017થી અત્યાર સુધી દિવેદ પ્રાથમિક શાળાના 4 ઓરડાઓ નવા બનાવવાની મંજૂરી મળી મળી ન હતી. શાળાના મુખ્ય શિક્ષક, SMCના સભ્યો, વાલીઓ દ્વારા દિવેદ ખાતે આવેલી ધો. 1થી 8ની પ્રાથમિક શાળાના 4 જેટલા જર્જરિત ઓરડાઓ તોડી નવા.ઓરડાઓ બનાવવા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ શાળાના ઓરડાઓના આભાવે વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળાએ ભણવા જતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ માટે ખસેડતા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.
વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલી દિવેદ પ્રાથમિક શાળા સહિત કુલ 6 શાળાઓના 24 જેટલા ઓરડાઓ જર્જરિત જાહેર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રાજ્ય સરકારમાંથી ટેન્ડરિંગ પ્રક્રિયા કર્યા બાદ શાળાના નવા ઓરડા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વર્ષે 24-25ના આયોજનમાં કામગીરી લેવામાં આવી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું.
દિવેદ પ્રાથમિક શાળામાં ધો 1થી 8 સુધીના ક્લાસમાં હાલમાં 40 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ 2017.પહેલા શાળામાં 100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જિલ્લા પંચાયત દ્વારા શાળાના ઓરડા જર્જરિત જાહેર કરતા વિદ્યાર્થીઓ ઓટલા ઉપર પતરાના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જેને લઈને મોટા ભાગના વાલીઓ વિદ્યાર્થીઓને વલસાડની ખાનગી શાળામાં અભ્યાસ કરવવા મજબુર બન્યા હોવાનું SMCના સભ્યોએ જણાવ્યું છે.
દિવેદ સહિત તાલુકાની 6 શાળાઓના 24 વર્ગખંડ જર્જરિત થતા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા રાજ્ય સરકાર અને રાજ્ય શિક્ષણ વિભાગમાં શાળાઓના ઓરડા તોડી નાખવા અને નવા ઓરડાઓ બનાવવા આવેલી રજૂઆતો બાદ રાજ્ય સરકારમાંથી સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ વર્ષ 2024-25ના આયોજનમાં સમાવેશ કારવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા શાળાના નવા ઓરડા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી ડી વસાવાએ જણાવ્યું હતું.
વર્ષ 2017માં જર્જરિત જાહેર થયેલી શાળાઓના ઓરડા બનાવવાના કામની મંજૂરી માટે અને નવા ઓરડાના ટેન્ડરિંગ પ્રક્રિયા માટે અંદાજે 7 વર્ષ જેટલો સમય લાગી ગયો છે. જેને લઈને મોટા ભાગના વાલીઓ બાળકોની સુરક્ષાને ધ્યાને લઈને ખાનગી શાળાઓમાં અભ્યાસ માટે મોકલાવી રહ્યા છે. હાલ આવતા વિદ્યાર્થીઓના વાલીઓને શાળાના શિક્ષકો અને SMCના સભ્યો દ્વારા વાલીઓને સમજાવ્યા બાદ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોકલવામાં આવતા હોવાનું એક વાલીએ નામ ન આપવાની શરતે.જણાવ્યું હતું.