આજથી આસો માસની શારદીય નવરાત્રિનો પ્રારંભ થતાં માતાજીના મંદિરમાં ભક્તોનું ઘોડા પુર ઉમટ્યું છે. ત્યારે વાત કરીએ સુરત શહેરની તો કોર્ટ વિસ્તારમાં માઁ અંબાનું ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિરની મહિમા એવી છે કે, 1000 વર્ષ પહેલાં પ્રેમજી ભટ્ટ નામના વ્યક્તિ
.
આ મંદિરનો ઇતિહાસમાં પણ ઉલ્લેખ સુરતના ઇતિહાસ સંબંધિત અનેક પુસ્તકો લખવામાં આવી છે. જેમાં યુગ પ્રવર્તક શિવાજી, શિવાજીની શૌર્ય ગાથા, સિંદૂરિયા થાપા સહિત છત્રપતિ શિવાજી સામેલ છે. આ તમામ પુસ્તકોમાં ઉલ્લેખ છે કે, શિવાજી મહારાજ જ્યારે પણ સુરત ઉપર ચઢાઈ કરવા આવતા હતાં, ત્યારે તેઓ અસુક આ માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે આવતા હતા. અત્રે ઉલ્લેખની એ છે કે, આમ તો સામાન્ય દિવસોમાં પણ ભક્તોની ભારે ભીડ હોય છે, પરંતુ નવરાત્રિના નવ દિવસ અહીં પૂજા, હવન, ધાર્મિક અનુષ્ઠાન થતું હોય છે અને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
સુરતનું આ મંદિર 1000 વર્ષથી પણ જુનું.
64 ખંડની પૂજા ખૂબ જ પ્રખ્યાત હોય છે આ મંદિરમાં 64 ખંડની પરંપરાગત પૂજા ચાલે છે, જેમાં બહેનો પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે 64 ખંડમાં ભાગ લેતી હોય છે. 64 ખંડનો પ્રસાદ લેવા માટે ગુજરાતના અલગ-અલગ શહેરોથી બહેનો આવે છે અને અગાઉથી જ નામ નોંધાવું પડતું હોય છે. પૂજા ખૂબ જ પ્રખ્યાત હોય છે, જેમાં બહેનો બેસે છે. જેમના લગ્ન નથી થયા, સંતાન નથી, જે સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી તેઓ આ અનુષ્ઠાનમાં બેસે છે.
લાકડાના બોક્સમાં માતાજીને લાવીને સ્થાપના કરવામાં આવી છે.
દશેરાએ માતાજી ચાંદીના રથમાં બેસી નગરચર્યા પર જાય છેઃ પૂજારી મંદિરના પૂજારી ભાવિક જોશીએ જણાવ્યું હતું કે, અમે સાતમી આઠમી પેઢીથી અહીં માતાજીની સેવા કરી રહ્યા છે. આ મંદિરનો ઇતિહાસ છે કે, આશરે 1000 વર્ષ પહેલાં પ્રેમજી ભટ્ટ નામના એક વ્યક્તિએ માતાજીને એક લાકડાના બક્સામાં લઈને જતા હતા, જેની અહીં સ્થાપના કરી હતી. પહેલા નાનું ડેરું હતું, જે હવે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. અહીં નવરાત્રિના નવ દિવસ ભક્તોની ભારે ભીડ હોય છે. અહીં માતાજીની નવદુર્ગાની સ્થાપના કરવામાં આવે છે. દશેરાના દિવસે તેઓ ચાંદીના રથમાં બેસીને નગરચર્ચા પર જાય છે.
શિવાજી અનેકવાર આ મંદિરે મા ભવાનીની આપાધના કરવા આવતા.
‘શિવાજીની તલવાર પણ મંદિરમાં છે’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શિવાજી મહારાજ જેટલી વાર પણ સુરતમાં ચડાઈ કરવા માટે આવ્યા હતા, તેઓ અહીં અંબા માતાનું દર્શન કરવા માટે આવતા હતા. કારણ કે, શિવાજી માઁ ભવાનીના પરમ ભક્ત હતા અને માતાજી ભવાનીના જ સ્વરૂપ છે. તેઓ અહીં દર્શન કરી ચડાઈ કરતા હતા. અહીં તેમની એક તલવાર પણ મૂકવામાં આવી છે.
આ મંદિરમાં નાળિયેરની બલી ચડાવાય છે.
‘નાળિયેરની બલી ચઢાવવામાં આવે છે’ સાથે તેઓએ જણાવ્યું હતું કે, અમે માતાજીને સાત્વિક રાખ્યા છે. સામાન્ય રીતે અન્ય મંદિરોમાં પશુંની બલી ચઢાવવામાં આવે છે, પરંતુ સુરતના આ મંદિરમાં નારિયેળની બલી માતાજીને ચઢાવવામાં આવે છે. બીજા મંદિરોમાં છોલેલા નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ અહીં આખા નારિયેળને વધેરવામાં આવે છે. 15 કિલોની લાકડાની મોગલીથી છાલ સાથેના નાળિયેરને અહીં વધેરવામાં આવે છે.