દ્વારકામાં ઈ.સ. 1874ના 9મી ઓકટોબરે હોળી ચોકમાં ગુગળી બ્રાહમણ જ્ઞાતિના ભેખધારી ઠાકર મકનજી જૂઠાની આગેવાની હેઠળ સ્થાપના બાદ આજ સુધી એટલે કે સતત 150 વર્ષ સુધી દ્વારકા ગુગળી બ્રાહમણી જ્ઞાતિએ પરંપરા જાળવી રાખીને દર વર્ષે ગરબીનું આયોજન કરવામાં આવે છે. નવરાત
.
પિતાંબર, પાસાબંડી, પછેડીનો પહેરવેશ ફરજીયાત
ગરબીમાં જોડાનાર પુરૂષોએ ધોતિયું કે પિતાંબર, પાસાબંડી અને પછેડીનો પહેરવેશ પહેરવો ફરજીયાત છે. નવરાત્રિ દરમ્યાન રોજબરોજ માતાજીના અલગ-અલગ છંદો ગવાય છે. દેવી પ્રતિનિધિત્વ ધરાવતાં આ નવેય સ્થાનની નવદુર્ગા માતાની નવ મૂર્તિઓ ગરબીની માંડવીમાં ફરતે સ્થાપવામાં આવે છે.
અષ્ટમીના 108 વ્યકિત દ્વારા માતાજીની સમૂહ આરતી
અત્રે આરતીમાં મંડપ જનમેદનીથી ખીચોખીચ ભર્યો હોય છે. આબાલવૃધ્ધ સ્ત્રી-પુરૂષો આરતીમાં જોડાય છે. અષ્ટમીના દિવસે 108 વ્યકિતઓ દ્વારા માતાજીની સમૂહ મહાઆરતી ઉતારવામાં આવે છે. આ આરતી ઉતારવા આજ પર્યંત જે અગ્રગણ્ય વ્યકિતઓ પધારી ચૂકયા છે તેમાં બ્રહમલીન પૂર્વ શારદાપીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્યજી મહારાજ, બ્રહમલીન ડોંગરેજી મહારાજ, મોરારી બાપૂ, રમેશભાઈ ઓઝા, દયારામ બાપા, મા કનકેશ્વરીજી તથા વિવિધ ધર્મસંસ્થાઓના સંતગણનો સમાવેશ થાય છે.
6 દાયકાથી અવિરત સેવારત પરિવાર
સ્વ.દેવજી ઘેલા દવે પરિવારના સ્વ.મંગલભાઈ, સ્વ. ચંદુભાઈ, જગદીશભાઈ દ્વારા નોબતના તાલ સાથે આશરે છ દાયકાથી સેવા આપવામાં આવી છે.જેમાં સ્વ. મંગલ દેવજી દવેએ 50 વર્ષ આ ગરબીમાં મધુર કંઠે ગરબા છંદ ગાઈને પ્રાચીન ગરબીની પરંપરાઓ જાળવી રાખી છે. જે હાલ તેમના સંતાનો વિનય મંગલ દવે, નંદન દવે તથા જયેશ દવે તેમજ સ્વ.મંગલભાઈના પૌત્ર રવિ જયેશ દવે આ જવાબદારી નિભાવી રહ્યા છે.