મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
- ટામેટા, બટાકા, ડુંગળીના ભાવ મોંઘવારીનું ગણિત બગાડે છે, ભાવમાં પારદર્શિતા જરૂરી
ખેડૂતથી તમારા સુધી પહોંચતા-પહોંચતાં ટામેટા, બટાકા અને ડુંગળી જેવી શાકભાજીના ભાવ લગભગ ત્રણ ગણા થઈ જાય છે. ગ્રાહક જે ભાવે શાકભાજી ખરીદે છે, તેનો માત્ર એક તૃતિયાંશ હિસ્સો જ ખેડૂતોને મળે છે. બાકીની 66% રકમ ટ્રેડર, જથ્થાબંધ વેપાર અને છૂટક વિક્રેતાના ખિસ્સામાં જઈ રહ્યો છે. આ વાત બીજા કોઈએ નહીં ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ કહી છે.
કેન્દ્રીય બેંકનું માનવું છે કે દર વર્ષે કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત છૂટક મોંઘવારીનું સમગ્ર ગણિત ટામેટો, ઓનિયન અને પોટેટો એટલે કે TOP બગાડે છે. સૂચકાંકમાં તેનું વેઇટેજ ભલે ખૂબ જ સીમિત હોય, પરંતુ તે સીપીઆઇમાં 43%નું વેઇટેજ રાખનારા ફૂડ સેગમેન્ટનું સમગ્ર ગણિત બગાડી દે છે.
આરબીઆઇએ ટૉપ પર જાહેર કરેલા એક રિપોર્ટમાં તેની કિંમતોને કાબૂમાં રાખવાના ઉપાય પણ જણાવ્યા છે. કેન્દ્રીય બેંકે કહ્યું- આ પાક ઝડપથી ખરાબ થઈ જાય છે. તેથી તેને લાંબા સમય સુધી સ્ટોર નથી કરી શકાતા. માર્કેટોમાં ભાવ નક્કી કરવાની પદ્ધતિને વધુ પારદર્શી બનાવવાની જરૂર છે. 2023માં ગ્રાહકોને ટામેટા રૂ. 36.71 પ્રતિ િકલો પડ્યા. તેમાં ખેડૂતોને માત્ર રૂ.12.29 મળ્યા. બાકીના રૂ.24.42 વચેટિયાઓના ખિસ્સામાં ગયા.
બજારમાં દાળોના વેચાણમાં ખેડૂતોને 70% થી વધારે ભાવ મળે છે આરબીઆઈ તરફથી જાહેર એક અન્ય પેપરમાં કહેવામાં આવ્યું છે કે ટૉપની તુલનામાં દાળોમાં સ્થિતિ ઘણી સારી છે. અહીં ખેડૂતોને મૂલ્યની 70% સુધી રકમ મળી રહી છે. માર્કેટ ચાર્જ, ટ્રાન્સપોર્ટેશન અને જથ્થાબંધ-છૂટક વેપારીઓના ખિસ્સામાં ગ્રાહકોથી વસૂલાયેલી કિંમતના 30% જ જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર ચણાના ભાવ 2023માં 71 રૂપિયે કિલો હતા. તેમાં 53 રૂપિયા ખેડૂતોને મળ્યા. તુવેર રૂ.111 પ્રતિ કિલો વેચાઈ. તેના 65 રૂપિયા ખેડૂતોના ખિસ્સામાં ગયા. મગની દાળ પણ ગ્રાહકોને 110 રૂપિયામાં મળી રહી હતી. રિપોર્ટ મુજબ માર્કેટ ચાર્જ અને હમાલીના હિસ્સામાં તમામ દાળોની કિંમતના 6 રૂપિયા સુધી ગયા.
ફુગાવાની ગણતરીમાંથી ખાદ્યપદાર્થોને બાકાત રાખી શકાય નહીં: રાજન સતત વધી રહેલા ખાદ્ય ફુગાવા વચ્ચે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફુગાવાની ગણતરીમાંથી ખાદ્યપદાર્થોની કિંમતને બાકાત કરવા અંગે ચેતવણી આપી હતી. ફુગાવો RBI માટે ચિંતાનો વિષય છે ત્યારે રાજને જણાવ્યું હતું કે હેડલાઇન ફુગાવાના લક્ષ્યમાંથી ખાદ્ય ફુગાવાને દૂર કરવાથી લોકોની RBIની ક્ષમતા પ્રત્યેની શ્રદ્ધા ઘટી જશે. એટલે જો તમે ફુગાવાને કેટલાક ભાગને છોડી દો અને તેઓને કહો કે ખાદ્ય ચીજવસ્તુઓનો ભાવ વધુ છે પરંતુ ફુગાવો નિયંત્રણ હેઠળ છે, તો તેઓની રિઝર્વ બેન્કમાં રહેલી શ્રદ્ધા ડગમગી જશે.