2 કલાક પેહલા
- કૉપી લિંક
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બોલિવૂડના ટોપ કપલમાંથી એક છે. બન્નેએ જૂન 1973માં લગ્ન કર્યાં હતા. છેલ્લાં 51 વર્ષથી બન્ને સાથે જ છે. તાજેતરમાં જ અમિતાભ અને જયા બચ્ચના લગ્નનું કાર્ડ વાયરલ થયું હતુ, ત્યારે હવે એક્ટ્રેસના જૂના ઇન્ટરવ્યૂની ચર્ચા થઈ રહી છે, આ ત્યારની વાત છે જ્યારે એક્ટ્રેસે 19 વર્ષના લાંબા ગાળા બાદ ફિલ્મી પર્દે પુનરાગમન કર્યું હતું
જયા બચ્ચેને 1998માં ડાયરેક્ટર ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘એક હજાર ચોરાસી કી મા’થી બોલિવૂડમાં પોતાનું કમબેક કર્યું હતું. એ જ વર્ષે અમિતાભ પણ ઘણી ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ મોટા પરદા પર પરત ફર્યા હતા 1973માં જયાએ અમિતાભ સાથે લગ્ન બાદ ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો હતો,
એક્ટ્રેસનું કહેવું હતું કે તે ઘર-પરિવાર પર ધ્યાન આપવા માગતી હતી. બિગ-બીએ પણ ખુલાસો કર્યો હતો કે તે જયાનો પોતાનો નિર્ણય છે.
ત્યારે જયા બચ્ચનને પૂછવામાં આવ્યું કે, શું એક્ટિંગમાં પુનરાગમન કરતાં પહેલા તેમણે પતિ અમિતાભ બચ્ચન પાસેથી મંજૂરી મેળવી હતી, આ સવાલ સાંભળી જયા બચ્ચને સખત શબ્દોમાં કહ્યું હતું કે,’તે મારા પતિ છે, મારા ગાર્ડિયન નથી’