ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામચંદ્રજીએ રાવણ પર વિજય મેળવ્યો તે દિવસ આસો સુદ દશમ હતી. ત્યારથી શ્રીરામચંદ્રજીના આ ભવ્ય વિજયના દિવસને વિજયા દશમી (દશેરા) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાવણના પુતળાનું દહન કરવાની પણ પરંપરા છે. જે અંતર્ગત આણંદમાં અરોરા પંજાબી
.
વિજયાદશમીને આડે હવે માત્ર ગણતરીના દિવસ બાકી રહ્યાં છે. ત્યારે, અરોરા પંજાબી સમાજ દ્વારા રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ વિદ્યાનગર સ્થિત જી.આઈ.ડી.સી માં રાવણનું 55 ફુટનું પુતળું બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આગ્રાના 10 જેટલા નિષ્ણાંત કારીગરોની ટીમ દ્વારા દિવસ-રાત મહેનત કરી આ રાવણનું પુતળું બનાવવામાં આવી રહ્યું છે. ચાર-પાંચ દિવસમાં આ રાવણ બનીને તૈયાર થઈ જશે. જે બાદ તારીખ 12 ઓક્ટોબરને વિજયાદશમીના દિવસે સાંજના સમયે આ રાવણનું દહન કરવામાં આવશે.
અરોરા પંજાબી સમાજના પ્રમુખ રાજેશભાઈ રામપ્રકાશ પંજાબી જણાવે છે કે, અમે છેલ્લાં 70 વર્ષથી આણંદમાં રાવણ દહનનો કાર્યક્રમ કરી રહ્યાં છે. આ 70 વર્ષ દરમિયાન કોરોનાકાળ વખતે તેમજ અમારા સમાજના એક વ્યક્તિનું અવસાન થયું હતું ત્યારે, એમ માત્ર બે વખત જ રાવણદહનનો કાર્યક્રમ થઈ શક્યો નથી.
પંડિત જોગીંદરકુમાર હુકમચંદ શર્મા જણાવે છે કે, હું આણંદ અરોરા પંજાબી સમાજનો ગોર છું. અગાઉ મારા પિતા રાવણ દહન કરતાં હતાં, અત્યારે હું કરૂ છું. આ વર્ષે રાવણની હાઈટ 55 ફુટ જેટલી રાખવામાં આવી છે. આ વખતે રાવણના જમણા હાથમાં ગદા અને ડાબા હાથમાં ઢાલ હશે. સમગ્ર ભારતમાં લગભગ બધાં રાવણના હાથમાં તલવાર અને ઢાલ રાખવામાં આવે છે. પરંતુ, આ વર્ષે અમે વિશેષ ગદાધારી રાવણ બનાવી રહ્યાં છે. આ રાવણ બનાવવામાં લાખ-સવાલાખ ઉપરાંતનો ખર્ચ થશે.
આ વખતે રાવણદહનના સ્થળમાં ફેરફાર કરાયોદર વર્ષે વિજયાદશમીના દિવસે આણંદ શહેરમાં આવેલ વ્યાયામ શાળાના વિશાળ મેદાનમાં રાવણદહન કરવામાં આવતું હતું. પરંતુ, હવે આ વ્યાયામ શાળાના મેદાનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ થઈ રહ્યું હોવાથી ત્યાં રાવણદહન કરવું શક્ય નથી. માટે આ વર્ષે રાવણ દહનનો કાર્યક્રમ આણંદ-લાંભવેલ રોડ પર આવેલ જય જલારામ ઈન્ટરનેશનલ સ્કુલની સામે ખુલ્લી જગ્યામાં રાવણ દહન કરવામાં આવશે.