સ્પોર્ટ્સ ડેસ્ક12 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહિલા ટીમ ઈન્ડિયા માટે મહિલા T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઈનલની રેસમાં રહેવું મુશ્કેલ સ્થિતિ બની ગઈ છે. ટીમ આજે તેની ત્રીજી મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. જો ભારતને સેમિફાઈનલમાં પહોંચવું હોય તો તેણે તેની બાકીની બંને ગ્રૂપ મેચ મોટા અંતરથી જીતવી પડશે. શ્રીલંકા બાદ ટીમ 13 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
મહિલા T-20 ક્રિકેટમાં ભારતે શ્રીલંકા પર પ્રભુત્વ જમાવ્યું છે, પરંતુ આ વર્ષે જુલાઈમાં મહિલા T-20 એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાએ ભારતને 8 વિકેટથી હરાવીને ટાઈટલ જીત્યું હતું. આવી સ્થિતિમાં ભારતીય ટીમે સાવધ રહેવું પડશે.
ભારતીય મહિલા ટીમે T-20 વર્લ્ડ કપમાં શ્રીલંકામાં પ્રભુત્વ જમાવ્યું છે. વર્લ્ડ કપમાં બંને વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. જેમાં ભારતે 4 મેચ અને શ્રીલંકાએ 1 મેચ જીતી છે.
બંને ટીમના રસપ્રદ ફેક્ટ્સ અને રેકોર્ડ પહેલા મેચની ડિટેઇલ્સ વાંચો…
મેચ ડિટેઇલ્સ મહિલા T20 વર્લ્ડ કપ: ભારત Vs શ્રીલંકા ક્યારે: ઓક્ટોબર 9 ક્યાં: ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ ટૉસ: 7 PM / મેચ સ્ટાર્ટ: 7:30 PM.
બંને ગ્રૂપની ટોચની 2 ટીમ સેમિફાઇનલમાં એન્ટ્રી કરશે મહિલા T20 વર્લ્ડ કપમાં માત્ર 10 ટીમ જ ભાગ લઈ રહી છે. દરેક 5 ટીમને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમ ગ્રૂપ-Aમાં છે. આ ગ્રૂપમાં ભારત ઉપરાંત ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. ગ્રૂપ સ્ટેજમાં એક ટીમ 4 મેચ રમશે. ગ્રૂપ સ્ટેજની સમાપ્તિ પછી, પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી બે ટીમ સેમિફાઈનલમાં પ્રવેશ કરશે.
મેચનું મહત્વ આ વર્લ્ડ કપમાં બંને ટીમની આ ત્રીજી મેચ હશે. ભારતને પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે બીજી મેચમાં હરીફ પાકિસ્તાનને હરાવ્યું હતું. બીજી તરફ, શ્રીલંકા તેની બંને મેચ હાર્યા બાદ ગ્રૂપ-Aના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના પાંચમા સ્થાને છે.
ભારત માટે આ મેચ ઘણી મહત્વની રહેશે. આ ગ્રૂપમાંથી ટૉપ-2 ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થશે, આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ મેચ મોટા માર્જિનથી જીતીને રેસમાં રહેવા માંગશે. ભારત ચોથા સ્થાને છે.
ભારતીય ટીમનું શ્રીલંકા પર વર્ચસ્વ ભારતીય મહિલા ટીમે T-20 ક્રિકેટમાં શ્રીલંકા પર પ્રભુત્વ જમાવ્યું છે. બંને વચ્ચે 2009થી અત્યાર સુધી 25 મેચ રમાઈ છે. જેમાં ભારતે 19 મેચ અને શ્રીલંકાએ 5 મેચ જીતી હતી. જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી. બંને વચ્ચે છેલ્લી T-20 મેચ આ વર્ષે જુલાઈમાં રમાયેલી એશિયા કપની ફાઈનલ હતી, જેમાં શ્રીલંકાએ 8 વિકેટે જીત મેળવી હતી.
હરમનપ્રીત કૌર ટોપ સ્કોરર ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌર ટોપ સ્કોરર છે. હરમનપ્રીત ગત મેચમાં 29 રન બનાવ્યા બાદ રિટાયર હર્ટ થઈ ગઈ હતી. બોલિંગમાં અરુંધતી રેડ્ડી ટોપ પર છે. સ્મૃતિ મંધાના આ વર્ષે T-20 ક્રિકેટમાં 514 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર છે. જોકે, તેનું બેટ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે ચાલ્યું નથી.
ભારત તેની બેટિંગ લાઇન અપમાં ઉંડાણ ધરાવે છે, પરંતુ છેલ્લી બે મેચમાં કોઈ બેટર્સ મોટી ઇનિંગ્સ રમી શક્યા નથી. આજે જીતવા માટે ટીમે બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ટોપ ક્લાસ પ્રદર્શન આપવું પડશે.
નિલાક્ષિકા સિલ્વાએ સૌથી વધુ રન બનાવ્યા નિલાક્ષિકા સિલ્વાએ આ વર્લ્ડ કપમાં શ્રીલંકા માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે બે મેચમાં 51 રન બનાવ્યા છે. સુગંધિકા કુમારીએ સૌથી વધુ વિકેટ લીધી છે.
હરમનપ્રીત કૌર અને પૂજા વસ્ત્રાકર ઈજાગ્રસ્ત ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થઈ હતી. જેના કારણે તેને રિટાયર હર્ટ થવું પડ્યું હતું. ટીમ મેનેજમેન્ટે હજુ સુધી તેની ઈજા અંગે કોઈ અપડેટ આપી નથી. ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકર પણ ઈજાગ્રસ્ત છે. પૂજા છેલ્લી મેચમાં પણ રમી શકી નહોતી.
પિચ રિપોર્ટ અને રેકોર્ડ્સ ભારતની આ ટુર્નામેન્ટની ત્રીજી મેચ પણ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. અહીંની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. ફાસ્ટ બોલરોને પણ શરૂઆતમાં મદદ મળી શકે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 9 મહિલા T20 મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 3 મેચ જીતી છે અને ચેઝ કરતી ટીમે 6 મેચ જીતી છે.
હવામાન સ્થિતિ દુબઈમાં બુધવારે ખૂબ જ તડકો અને ગરમી રહેશે. મેચના દિવસે અહીંનું તાપમાન 29 થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. પવનની ઝડપ 15 કિમી પ્રતિ કલાક રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ (વિકેટકીપર), સજના સજીવન, દીપ્તિ શર્મા, અરુંધતી રેડ્ડી, શ્રેયાંકા પાટિલ, આશા શોભના અને રેણુકા સિંહ.
શ્રીલંકા: ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), વિશામી ગુણારત્ને, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નિલાક્ષિકા સિલ્વા, હસીની પરેરા, અનુષ્કા સંજીવની, સુગંધિકા કુમારી, ઈનોશી પ્રિયદર્શિની, ઉદેશિકા પ્રબોધિની અને ઈનોકા રણવીરા.