શહેરના જુદા જુદા વિસ્તારોમાં અગાઉ વ્યાજખોરોના ત્રાસ અને ધાક ધમકીઓ સહિતની અનેક ઘટનાઓ સામે આવી ચુકી, તેમજ પોલીસ દવારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે શહેરના મોટાવરાછા ખાતે રહેતા વેપારીએ એ લાખ વ્યાજે લીધ હતા જેની સામે વ્યાજ સહિત 6
.
ઉત્રાણ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં મોટા વરાછા મહારાજા ફાર્મ પાસે સહજાનંદ હાઈટ્સમાં રહેતા અને વેપારી ધંધા સાથે સંકળાયેલા આશીષ જયંતીભાઈ પટેલએ જાન્યુઆરી 2015માં ગોપાલ રબારી (રહે, કતારગામ) પાસેથી માસીક 8 ટકાના વ્યાજે 3 લાખ લીધા હતા. દર મહિને ૨૪ હજાર વ્યાજ લેખે 15 મહિનામાં તેઓએ 3,60,000 વ્યાજ ચુકવ્યું હતું અને જુન-જુલાઈ 2016માં તેઓએ મુદ્દલ રકમ 3 લાખ ચુકવી આપી હતી. આમ આશીષે વ્યાજે લીધેલા 3 લાખની સામે મુદ્દલ રકમ અને વ્યાજ મળી કુલ રૂપિયા 6.60 લાખ ચૂકવી આપ્યા છે. છતાંયે ગોપાલ રબારી, રજની ગોયાણી અને તેની સાથેના અજાણ્યો અવાર નવાર ફોન કરી તેમજ ઘરે આવી મુદ્દલ રકમના 3 લાખની માંગણી કરતા હતા.
ગત 2 ઓક્ટોબરના રોજ રાત્રીના સુમારે હથિયાર સાથે અવી આરોપીઓએ ઘરના તેમના દરવાજાની તોડફોડ કરી હતી અને આશીષને ફોન કરી તું મારા રૂપિયા 3 લાખ આપી દે જે નહિતર તારા ઘરના દરવાજાની હાલત કરી છે તેવી હાલત તારી કરી દઈશ. તારે જીવતા રહેવું હોય તો મારા પૈસા આપી દેજે. તારે પોલીસ કેસ કરવો હોય તો કરી દેજે તેવી ધમકી આપી આતંક મચાવ્યો હતો. આશીષ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ગોપાલ રબારી, રજની ગોયાણી સહિત અજાણ્યા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સારોલી પોલીસે એક રીઢા આરોપીને ઝડપી પાડયો પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર સેકટર-1, નાયબ પોલીસ કમિશનર ઝોન-1 તથા મદદનીશ પોલીસ કમિશનર “બી” ડીવીઝન સુરત શહેર નાઓએ મોબાઈલ સ્નેચીંગ તથા વાહન ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપી હતી. ત્યારે સારોલી પોલીસે એક રીઢા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા.
સારોલી પોલીસ મથકના ઇન્સ્પેકટર એસ.આર.વેકરીયા તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જે.એન.ચૌહાણ સહીત સર્વેલન્સ સ્ટાફના માણસો નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન મળેલ સંયુકત બાતમીને આધારે આરોપી અભિષેક રામનયન ગમગમ વિશ્વકર્માને ઝડપી પાડી તેની પાસેથી પાસેથી અલગ અલગ કંપનીના 4 મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા. વધુમાં આરોપીની પ્રાથમિક પુછપરછ કરતા તેને મોબાઈલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી વિરુદ્ધ આગળની વધુ ઘટનાએ કાર્યવાહી હાથ ધરી છે.
બિલ્ડરની માથાભારે ગેંગ સામે ફરિયાદ કરી ગુજ્સીટોકના ગુનામાં જેલમાં બંધ આરોપીઓએ સુરતના એક બિલ્ડરને ઠગાઈ કેસમાં ફસાવવાની ધમકી અપાવી લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે આ સાથે જીએસટી અધિકારીના નામે મકાન અને ફ્લેટ પણ પડાવી લીધા હતા. જો કે બિલ્ડર પાંચ વર્ષે ખોટા દસ્તાવેજનો કેસ જીત્યા છે.
સુરતમાં એક બિલ્ડરને ખોટા દસ્તાવેજ કેસમાં ફસાવવાનો મામલો સામે આવ્યો છે. ઇન્કમટેક્સ ભરતા બિલ્ડરને આ ટેક્સ ન ભરવા માટે માથાભારે ઈસમોની ટોળકીએ છેલ્લી હદ સુધી હેરાન કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે ભોગ બનનાર બિલ્ડર ઉદય ગોવિંદ છાસિયાએ જણાવ્યું હતું કે, હું પોતે આર્કિટેક્ટ છું અને સુરતમાં ઘણી બધી જગ્યાએ બાંધકામ સાઇટ ચાલે છે. ત્યારે મારા બાંધકામ સાઇટને લઈને ટર્ન ઓવર ખૂબ જ મોટા થતા હોય છે જેથી તેઓ મોટી રકમનો ઇન્કમ ટેક્સ પણ ભરતા હતા ત્યારે તેમના સીએએ જણાવ્યું હતું કે, શા માટે આટલો મોટો ટેકસ ભરો છો? અને બાદમાં માથાભારે ગણાતા ગુજસીટોકના આરોપીઓ સાથે મળી ઠગાઈનો ખોટો કેસ કર્યો હતો અને મને ધાક ધમકી આપી મારી પાસેથી 3 ફ્લેટ પડાવી લીધા હતા અને 1 લક્ઝુરિયસ કાર પણ મારા નામ ઉપર લઈ લીધી હતી.
આ કૌભાંડમાં વિપુલ ગાજીપરા ગેંગ સહિતની અન્ય ગેંગો સહિતના લોકો સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ માથાભારે તત્વો વારંવાર બિલ્ડરને ધાક ધમકી આપતા હતા અને જીએસટીની રેડ કરાવવાની ધમકી આપતા હતા એ પણ તપાસના નામે ફ્લેટ અને કાર પડાવી લીધા હતા ગોપાલ સિંગ મીના નામના જીએસટી અધિકારી સામે પણ એસીબીમાં ફરિયાદ નોંધાય છે. આ સમગ્ર મામલે કોર્ટમાં કેસ જતા બિલ્ડર ઉદય છાસીયા પાંચ વર્ષે ખોટા દસ્તાવેજનો કેસ જીતી ગયા છે. હાલ બિલ્ડરે પોતાના અને તેના ઉપર જીવનું જોખમ હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલે બિલ્ડરે સુરત પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે.