દિવાળીના સમયમાં લોકો તહેવારમાં ખરીદી કરવા બજારમાં જતા હોય છે. તેમની સલામતી ન જોખમાય તે માટે પોલીસ દ્વારા સમય અંતરે પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ ગુનેગારો કોઇકના કોઇ રીતે પોતાનો મનસુબો પાર પાડી દીધો હયો તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલાં કર
.
28 લાખના ચાંદીના દાગીના ભરેલો થેલોની લૂંટ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે બપોરના સમયે માણેકચોકમાંથી એક સેલ્સમેન 28 લાખની કિંમતના ચાંદીના દાગીના ભરેલો થેલો લઇને અલગ અલગ વિસ્તારમાં સોના ચાંદીની દુકાન પર માર્કેટિંગ માટે જતો હતો. તે સમયે કૃષ્ણનગરના સરદાર ચોક પાસે તે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક્ટિવા પર આવેલી એક મહિલા જેણે હાથ પર મોજા અને આંખો પર ચશ્મા પહેર્યા હતા. તેણે આ વ્યક્તિનો થેલો ઝૂટંવીને એક્ટિવા લઇને ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર મામલો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હોવાની વિગતો મળી રહી છે.
ટેકનિકલ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અભિષેક દવેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે હાલ સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. અમારી અલગ અલગ ટીમ આરોપીને પકડવા માટે પ્રયાસ કરી રહી છે. મહિલા હોવાની શંકાના આધારે અમે તે દિશામાં પણ તપાસ કરી રહ્યા છે. આ અંગે ટેકનિકલ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.