નવી દિલ્હી56 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઓસના પ્રવાસે છે. તેમણે ત્યાં લાઓસની રામાયણ જોઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-આસિયાન સમિટમાં ભાગ લેવા ગુરુવારે 2 દિવસની મુલાકાતે કમ્યુનિસ્ટ દેશ લાઓસ પહોંચ્યા હતા. અહીં બૌદ્ધ સાધુઓએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ લાઓસની રાજધાની વિયેતિયાનમાં લાઓસની રામાયણ પણ નિહાળી હતી.
PM મોદી લાઓસમાં 10મી વખત ભારત-આસિયાન સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ દરમિયાન પીએમ મોદી આસિયાન દેશોના ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.
લાઓનના વડાપ્રધાન સોનેક્સ સિફાનડોને પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. લાઓસ આ વર્ષે ભારત-આસિયાન સમિટ અને પૂર્વ એશિયા સમિટની યજમાની કરી રહ્યું છે.
તસવીરોમાં PM મોદીનું વેલકમ…
મોદી સરકારની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ને 10 વર્ષ પૂર્ણ થયા આ વર્ષે મોદી સરકારની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ 10 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ સંદર્ભમાં પણ આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ એ ભારતની ડિપ્લોમેસીનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનો ઉદ્દેશ દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથેના સંબંધોને મજબૂત કરવાનો છે.
PM મોદીએ 2014માં ઈન્ડિયા આસિયાન સમિટ દરમિયાન આ પોલિસીની જાહેરાત કરી હતી. આ પોલિસીને ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવની લુક ઈસ્ટ પોલિસીનું અપગ્રેડ વર્ઝન માનવામાં આવે છે, જે તેમણે 1992માં શરૂ કરી હતી.
આ પહેલા વડાપ્રધાન મોદીએ સપ્ટેમ્બરમાં દક્ષિણ એશિયાના દેશો બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઓગસ્ટમાં તિમોર-લેસ્તેના પ્રવાસે ગયા હતા.
બ્રુનેઈની મુલાકાત દરમિયાન PM મોદીએ સુલતાન બોલકિયા સાથે તેમના મહેલમાં મુલાકાત કરી હતી.
‘મ્યાનમાર અને ચીનના મુદ્દા પર ચર્ચા થશે’ પૂર્વ એશિયા સમિટ દરમિયાન મ્યાનમારમાં લાંબા સમયથી ચાલી રહેલ ગૃહયુદ્ધ અને દક્ષિણ ચીન સાગર પર પ્રાદેશિક તણાવ પર ચર્ચા થઈ શકે છે. આ બંને મુદ્દાઓ આસિયાન દેશો માટે મુખ્ય પડકારો છે.
ફેબ્રુઆરી 2021માં મ્યાનમારની સેનાએ આંગ સાન સૂ કીની સરકારને ઉથલાવી દીધી હતી. ત્યારથી, મ્યાનમારમાં લગભગ 6,000 લોકો માર્યા ગયા છે અને 30 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.
આ વર્ષે દક્ષિણ ચીન સાગરમાં સરહદ વિવાદ મામલે ચીન અને ફિલિપાઈન્સ વચ્ચે ઘણી અથડામણ થઈ છે. વિયેતનામે ગયા અઠવાડિયે આરોપ લગાવ્યો હતો કે ચીને દક્ષિણ ચીન સાગરના વિવાદિત વિસ્તારોમાં તેના માછીમારો પર હુમલો કર્યો હતો.
ચીને ઇન્ડોનેશિયા અને મલેશિયા દ્વારા દાવો કરાયેલા વિસ્તારોમાં પેટ્રોલિંગ જહાજો પણ મોકલ્યા છે.
ફૂટેજમાં ચીન અને ફિલિપાઈન્સના કોસ્ટ ગાર્ડ જહાજો ટકરાતા દેખાય છે.
ASEAN એ 10 દેશોનો સમૂહ છે આસિયાનની સ્થાપના 1967માં બેંગકોકમાં થઈ હતી. તે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોનું ક્ષેત્રીય સંગઠન છે. તેનું પૂરું નામ એસોસિયેશન ઓફ સાઉથ-ઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN) છે. તેના કુલ 10 સભ્ય દેશો છે, જેમાં ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, સિંગાપોર, ફિલિપાઈન્સ, વિયેતનામ, મલેશિયા, મ્યાનમાર, કંબોડિયા, બ્રુનેઈ અને લાઓસનો સામેલ છે.
ભારતે 2022માં ASEAN દેશો સાથે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ (CSP) પર હસ્તાક્ષર કર્યા હતા. આ હેઠળ, સંરક્ષણ, આર્થિક અને તકનીકી હિતોને વધારવા માટે સાથે મળીને કામ કરવામાં આવે છે. સાથે જ આ ક્ષેત્રમાં ચીનનો મુકાબલો કરવા માટે ભારત આસિયાન દેશો સાથે સંબંધો મજબૂત કરી રહ્યું છે.
પીએમ મોદીના દક્ષિણ એશિયા પ્રવાસ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
મોદી ઈસ્લામિક દેશ બ્રુનેઈ કેમ ગયા: વસ્તી 4 લાખ, માથાદીઠ આવક ભારત કરતા 13 ગણી વધુ, ટેક્સ નથી, તેમ છતાં શિક્ષણ- સારવાર મફત કેવી રીતે?
બોર્નેઈ ભારતથી 7,486 કિલોમીટર દૂર એક ટાપુ છે. તેના પર ત્રણ દેશો વસેલા છે, જેમાંથી એક બ્રુનેઈ છે. આ એક ઇસ્લામિક દેશ છે, જ્યાં માત્ર 4 લાખ લોકો રહે છે. પીએમ મોદી આ દેશના પ્રવાસે ગયા હતા.
અહીંના રાજા હસનલ બોલ્કિયાએ વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું હતું. આજ સુધી ભારતના કોઈ વડાપ્રધાને બ્રુનેઈની મુલાકાત લીધી નથી.