જામનગરના રાજ પરિવારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જામસાહેબ શત્રુશલ્યસિંહજીના વારસદાર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કર્યું છે. એક પત્ર દ્વારા જામસાહેબે આ જાહેરાત કરી છે. પત્રમાં તેમણે લખ્યું- ‘અજય જાડેજાએ મારા વારસદાર થવાનું સ્વીકાર્યું
.
ભારતના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાની ગણતરી ક્રિકેટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થતી હતી.
જામસાહેબે પત્ર દ્વારા વારસદારની જાહેરાત કરી
ભારતના પૂર્વ ક્રિકેટર છે અજય જાડેજા અજય જાડેજાની ગણતરી ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થતી હતી. અજય જાડેજાનો જન્મ 1 ફેબ્રુઆરી 1970ના રોજ ગુજરાતના જામનગરમાં એક રાજવી પરિવારમાં થયો હતો. અજય જાડેજા રાજપૂત પરિવારમાંથી આવે છે અને ગુજરાતના જાડેજા રાજવી પરિવારમાંથી આવે છે. અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી 1992થી 2000 સુધી ચાલી હતી જેમાં તે ભારતના સ્ટાર બેટર પણ રહી ચૂક્યા હતા. અજય જાડેજાએ પોતાની વન-ડે કારકિર્દીમાં 196 મેચ રમી હતી. ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત બેટર હોવા ઉપરાંત અજય જાડેજા પણ સારી બોલિંગ કરી શક્તા હતા.
પૂર્વ ક્રિકેટર અજય જાડેજા
મેચ ફિક્સિંગના ડાઘ અને પ્રતિબંધ વર્ષ 2000 સુધીમાં જાડેજા વિવાદોમાં આવી ગયા. મેચ ફિક્સિંગમાં તેમનું નામ સામે આવ્યું હતું અને 29 વર્ષની ઉંમરે તેમના પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાડેજાએ તેની સામે લડત ચલાવી અને ત્રણ વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેમના પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. અજય જાડેજાએ ફરીથી ક્રિકેટના મેદાનમાં પ્રવેશ કર્યો પરંતુ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી શક્યા નહીં. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે પહેલા રાજસ્થાનના કેપ્ટન અને કોચ બંને બન્યા. આ સિવાય તે હરિયાણાના કેપ્ટન પણ બન્યા હતા.
આ સમયગાળા દરમિયાન તેમણે બોલિવૂડમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. સુનીલ શેટ્ટી અને સની દેઓલ સાથે ‘ખેલ’ નામની ફિલ્મ કરી. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ અને જાડેજાએ આ ક્ષેત્રમાં હાથ જોડી દીધા. હવે તે કોમેન્ટ્રી અને ક્રિકેટ એક્સપર્ટની દુનિયામાં સક્રિય છે.
જામ સાહેબ શત્રુસલ્ય સિંહજી કોણ છે? શત્રુસલ્યસિંહજી ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને નવાનગરના મહારાજાનું બિરુદ ધરાવનાર છેલ્લા વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી 1972 સુધી શત્રુસલ્યસિંહજી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વડા હતા. તેમણે 1958-59ની સિઝનમાં બોમ્બે સામે સૌરાષ્ટ્ર તરફથી રમતા પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો. તેણે 1959-60માં સૌરાષ્ટ્ર માટે ત્રણ, 1961-62માં ચાર અને 1962-63માં ચાર મેચ રમી હતી. શત્રુશલ્યસિંહજીએ 1966-67માં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની કપ્તાની કરી હતી, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની અંતિમ સિઝન હતી. તેમણે મોઇન-ઉદ-દૌલા ગોલ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય સ્ટારલેટ્સની કેપ્ટનશિપ કરી હતી.
જામસાહેબે પીએમ મોદીને પાઘડી પહેરાવી હતી વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી પ્રચાર કરવા જામનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણી સભા પહેલા જામસાહેબ સાથે મુલાકાત કરી હતી. જામસાહેબે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત જામનગરમાં પાયલોટ બંગલા પર થઈ હતી. જામસાહેબે પાઘડી પહેરાવીને પીએમનું સ્વાગત કર્યું હતું.
જામ સાહેબનો ઈતિહાસ જામ સાહેબ એ નવાનગરના શાસક રાજકુમારનું બિરુદ છે જે હવે ગુજરાતમાં જામનગર છે. જામસાહેબ રાજપૂતોના જામ જાડેજા કુળના હતા. જામ રાવલજી 1540માં નવાનગરના પ્રથમ જામ સાહેબ હતા. તેમણે કચ્છમાંથી સ્થળાંતર કરીને હાલાર પ્રદેશમાં નવાનગરની સ્થાપના કરી હતી. તેમાં 999 ગામોનો સમાવેશ થાય છે.