સ્પોર્ટ્સ ડેસ્ક24 મિનિટ પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડ સામે 16 ઓક્ટોબરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય ચાર ટ્રાવેલિંગ રિઝર્વ પણ રાખવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામેની બે મેચની સિરીઝ માટે ભારતીય ટીમના કોઈ ઉપ-કેપ્ટનની પસંદગી કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે BCCI રોહિત શર્મા બાદ બુમરાહને ટેસ્ટ ટીમના ભાવિ કેપ્ટન તરીકે જોઈ રહી છે.
ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. તેને ટીમમાં સ્થાન મળ્યું નથી, શમી પગની ઘૂંટીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, જેના માટે તેણે આ વર્ષની શરૂઆતમાં સર્જરી કરાવી હતી. તે ઈજાના કારણે 2023 ODI વર્લ્ડ કપ ફાઈનલથી મેદાનની બહાર છે. ફાસ્ટ બોલર યશ દયાલ ઈજાના કારણે બહાર છે. તે બાંગ્લાદેશ સિરીઝ માટે ભારતીય ટીમમાં હતો.
પહેલી ટેસ્ટ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાશે ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતની મુલાકાતે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. તેની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાશે.
ભારતીય ટીમની બેટિંગ લાઇન અપ મજબૂત ભારતીય ટીમની બેટિંગ લાઈન અપ ઘણી મજબૂત છે. રોહિતની સાથે વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ અને રિષભ પંત પણ ટીમનો ભાગ છે. સિલેક્ટર્સે સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને પણ ટીમમાં સામેલ કર્યા છે. ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને પણ ટીમમાં તક મળી છે.
ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.
ટ્રાવેલ રિઝર્વ: હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, મયંક યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
ભારત પ્રવાસ માટે ન્યૂઝીલેન્ડની ટીમ ટોમ લાથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ (પહેલી ટેસ્ટ), માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ડેરીલ મિશેલ, વિલિયમ ઓ’રર્કે, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, બેન સીઅર્સ , ઈશ સોઢી (બીજી અને ત્રીજી ટેસ્ટ), ટિમ સાઉધી, કેન વિલિયમસન અને વિલ યંગ.