- Gujarati News
- National
- Rajnath Singh Performed Shastra Pooja At Sukna Cantt In Darjeeling, Applied Tilak To The Soldiers
દાર્જિલિંગ40 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશભરમાં આજે દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. વિજયાદશમી પર શસ્ત્ર પૂજા કરવામાં આવે છે, તેથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ સૈનિકો સાથે તહેવારની ઉજવણી કરવા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહોંચ્યા હતા. સુકના કેન્ટમાં રક્ષા મંત્રીએ પહેલા શસ્ત્રોનું પૂજન કર્યું હતું. બાદમાં ત્યાં હાજર સૈનિકોને તિલક લગાવ્યુ હતું.
આ દરમિયાન રાજનાથ સિંહે સંબોધન કરતા કહ્યું- શસ્ત્રોની પૂજા એ હકીકતનું પ્રતિક છે કે જ્યારે જરૂર પડે ત્યારે શસ્ત્રોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય છે.
રક્ષામંત્રીની મહત્વની વાત…
- અમે પહેલા ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી. અમારે કોઈની સાથે દુશ્મની નથી. અમે યુદ્ધ ત્યારે જ લડ્યા જ્યારે કોઈપણ દેશ અમારી અખંડિતતા અને સાર્વભૌમત્વનું અપમાન કર્યુ છે. જ્યારે કોઈ દેશે ધર્મ, સત્ય અને માનવીય મૂલ્યોનું અપમાન કર્યું છે.
- સરહદો પર સેનાની હાજરીને કારણે કોઈ ઘટના બનવાની શક્યતા નથી. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં તેને અવગણી શકાય નહીં. દુનિયામાં ગમે તે થાય, તૈયારીઓમાં કોઈ કમી ન હોવી જોઈએ.
કોલકાતા, મૈસૂર, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં દેશભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સાંજ સુધીમાં રાવણ દહન થશે. દુર્ગા પંડાલમાં રાખવામાં આવેલી દેવીની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવશે.
જુઓ દશેરાના તહેવારની ઉજવણી…
લાઈવ અપડેટ્સ
53 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તર પ્રદેશઃ નોઈડામાં 100 ફૂટના રાવણનું દહન કરવામાં આવશે
05:52 AM12 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
આસામઃ કામાખ્યા દેવી મંદિરમાં ભક્તો પહોંચ્યા
05:51 AM12 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
જમ્મુ અને કાશ્મીર: કટરામાં મા વૈષ્ણો દેવીમાં ભીડ ઉમટી
05:50 AM12 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
પશ્ચિમ બંગાળ: બીરભૂમમાં દશેરા પર ‘સિંદૂર ખેલા’ ઉજવાયો
બંગાળમાં દુર્ગા પૂજાના છેલ્લા દિવસે સિંદૂર ખેલા ઉજવવામાં આવે છે. આ દરમિયાન પરિણીત મહિલાઓ દેવીના કપાળ અને પગ પર સિંદૂર લગાવે છે. બાદમાં તે જ સિંદૂર ફરીથી એકબીજા પર લગાવે છે. આ દરમિયાન તેઓ તેમના પતિ અને બાળકોના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરે છે.
05:47 AM12 ઑક્ટ્બર 2024
- કૉપી લિંક
તેલંગાણા: હૈદરાબાદના કનક દુર્ગા મંદિરમાં ભક્તોની ભીડ
વિજયાદશમીના અવસરે હૈદરાબાદના બશીર બાગમાં નાગ લક્ષ્મી કનક દુર્ગા મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. દેવીના દર્શન માટે લોકો સવારથી જ લાઈનમાં ઉભા હતા.