પાટડી શિશુમંદિર ખાતે આસિસ્ટન્ટ કલેકટરનો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એમના દ્વારા બાળ માનસને ધ્યાને લઈને બાળકોને શિક્ષણમાં કેવી રીતે રસ રુચિ વધે, તેમજ તેના વિકાસમાં માતા – પિતા, શિક્ષકો કેવી રીતે સહયોગી બની શકે તેની ઉંડાણપૂર્વક સમજ આપવામાં
.
શ્રી સરસ્વતી શિશુ મંદિર, પાટડી ખાતે આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠૌર (IAS) પાટડીએ અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ વિદ્યાલયની મુલાકાત લઈ, વિદ્યાર્થીઓ, વાલીઓ, ટ્રસ્ટીઓ તેમજ વિદ્યાલયના આચાર્યો સાથે વિદ્યાર્થીઓને મૂલ્ય આધારિત ધ્યેયલક્ષી અને રાષ્ટ્રને શ્રેષ્ઠ દેશભક્ત નાગરિકો મળે તે માટે પ્રાથમિક સ્તરેથી જ બાળકોને દિશા મળે અને આગળ જતાં વિદ્યાર્થીઓની રુચિ, પ્રકૃતિ અનુસાર એન્જિનિયરિંગ, મેડિકલ કે અન્ય ફેકલ્ટીમાં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય, સરકારી કે અન્ય સંસ્થાનોમાં જોબ મેળવવા કે, યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓ કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કેવા પ્રકારે તૈયારી કરી શકાય તેની અર્થ સભર ઊંડાણપૂર્વકની માહિતી અને માર્ગદર્શન જયંતસિંહ રાઠૌર દ્વારા આપવામાં આવી હતી.
જેમાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા જિજ્ઞાશાવશ પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના સંતોષજનક જવાબો પણ જયંતસિંહ રાઠૌર દ્વારા આપવામાં આવ્યા હતા. બાળ માનસને ધ્યાને લઈને બાળકોને શિક્ષણમાં કેવી રીતે રસ રુચિ વધે, તેમજ તેના વિકાસમાં માતા – પિતા, શિક્ષકો કેવી રીતે સહયોગી બની શકે તેની ઉંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. વર્તમાન સમયમાં માતૃ ભાષા સાથે અન્ય ભાષા તરીકે અંગ્રજી ભાષામાં પણ બાળકો ઉત્કૃષ્ઠ બને અને તેનો સર્વાંગીણ વિકાસ થાય તે પ્રકારની પ્રેરક વાતો પણ પાટડી આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠૌર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે વિદ્યાલય ટી.એલ.એમની પ્રદર્શની તૈયાર કરેલી તે નિહાળી એમના દ્વારા સૌને પ્રોત્સાહન પૂરું પાડી સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. કુલ મળીને ખુબ જ પ્રેરક કાર્યક્રમ રહ્યો હતો. આ કાર્યક્રમમાં પાટડી નાયબ મામલતદાર રઘુભાઇ ખાંભલા, પાટડી શિશુમંદિરના સિદ્ધરાજસિંહ ઝાલા અને હિતેષભાઇ સોની સહીત વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.