8 મિનિટ પેહલા
- કૉપી લિંક
NCP (અજિત જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાંદ્રાના ખેર નગરમાં તેમના ધારાસભ્ય દીકરા જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ત્રણ વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો હતો. જે બાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ બી-ટાઉનના ઘણા સેલેબ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા દ્વારા દુઃખ વ્યક્ત કર્યું.
રાજ કુન્દ્રાએ કરી પોસ્ટ રાજ કુન્દ્રાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું કે, બાબા સિદ્દીકી ભાઈના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તે જ્યાં પણ ગયા, લોકોને સાથે લાવ્યા અને પ્રેમ વહેંચ્યો. મારા પાટર્નરે ફક્ત એક બ્રધર-ઈન-લો નથી ગુમાવ્યો, પણ ગાઈડીંગ લાઈટ ગુમાવ્યો જેને તે તેના બીજા પિતા માનતી હતી. બાબા, તમારી વિદાય અસહ્ય છે, પરંતુ જેઓ તેની પાછળ છે તેમને તેનો જવાબ આપવો પડશે.
રિતેશે ન્યાયની માંગણી કરી રિતેશ દેશમુખે લખ્યું, ‘બાબા સિદ્દીકી જીના દુઃખદ અવસાન વિશે જાણીને હું ખૂબ જ દુઃખી અને આઘાતમાં છું. મારી સંવેદના ઝીશાન સિદ્દીકી (તેમના પુત્ર) અને સમગ્ર પરિવાર સાથે છે. ભગવાન તેમને આ મુશ્કેલ સમયનો સામનો કરવાની શક્તિ આપે. આ ભયાનક અપરાધના ગુનેગારોને પકડવા જરૂરી છે.
શમિતા શેટ્ટી આપી શ્રદ્ધાંજલિ શમિતા શેટ્ટીએ લખ્યું, ‘બાબા સિદ્દીકી વિશે સાંભળીને હું ચોંકી ગઈ છું. શું થઈ રહ્યું છે !!! તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ ભયંકર નુકસાનનો સામનો કરવાની શક્તિ આપે.
પ્રિયા દત્તે લખી ઈમોશનલ પોસ્ટ સંજય દત્તની બહેન પ્રિયા દત્તે લખ્યું, ‘બાબા સિદ્દીકીના દુઃખદ અવસાનના સમાચારથી મને આઘાત લાગ્યો છે. બાબા રાજકીય સાથી કરતાં વધુ હતા; મારા પિતા માટે બાબા સિદ્દીકી એક પુત્ર સમાન હતા અને મારા માટે તેઓ એક ભાઈ અને પ્રિય મિત્ર હતા. તેઓ તેમના સમગ્ર રાજકીય પ્રવાસમાં અને તે પછી પણ મારા પિતાની પડખે ઊભા રહ્યા. જ્યારે મેં રાજકારણમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમણે તેમનો અતૂટ ટેકો આપ્યો અને મને ઉતાર-ચઢાવમાં માર્ગદર્શન આપ્યું. ભાભી, જીશાન અને અર્શિયા, ભગવાન તેમને આ અપાર ખોટ સહન કરવાની શક્તિ આપે. તેમની આત્માને શાંતિ મળે. ગુડબાય, પ્રિય ભાઈ બાબા સિદ્દીકી.
પૂજા બેનર્જી પણ થઈ ભાવુક ટીવી એક્ટ્રેસ પૂજા બેનર્જીએ લખ્યું કે, ‘પ્રિય બાબા સિદ્દીકીના અવસાનથી ખૂબ જ આઘાત અને દુઃખી છું. ભગવાને આત્માની શાંતિ માટે પ્રાર્થના અને ન્યાય થવો જરૂરી, પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.
બાબા સિદ્દીકીની હત્યા બાદ ધુંઆપુંઆ જોવા મળ્યો ભાઈજાન બાબા સિદ્દીકીની હત્યાના સમાચાર મળતા જ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેમના પરિવારને મળવા માટે લગભગ રાતે 3 વાગે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો. લીલાવતી હોસ્પિટલની બહાર મીડિયાને જોઈને સલમાન ખાન ગુસ્સે થઈ ગયો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…..