કેચ ધ રેન અંતર્ગત જળસંચય- જન ભાગીદારી- જન આંદોલન કાર્યક્રમ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ તથા બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી આ કા
.
નદી જોડવાના અભિયાનમાં મધ્યપ્રદેશ નંબર વન સ્થાને રહેશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે, દેશની નદીઓનું ઉદગમ સ્થાન એક રીતે મધ્યપ્રદેશ છે. મધ્યપ્રદેશમાંથી ઉદ્ભવેલી નદીઓ દેશના અલગ-અલગ રાજ્યમાં જીવાદોરી સમાન બની રહી છે. આજે જળ શક્તિ મંત્રાલય દ્વારા જે પ્રકારે કેચ રેન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તે અંતર્ગત કામ થઈ રહ્યું છે. તેની સાથે નદીઓને પણ જોડવાનું અભિયાન શરૂ છે ત્યારે મધ્યપ્રદેશ દેશનું પહેલું રાજ્ય બનશે કે જે નદી જોડવાના અભિયાનમાં સૌથી મહત્વનું યોગદાન આપશે. નદી જોડવાના બે અલગ અભિયાનમાં મધ્યપ્રદેશ પોતાની નદીઓ જોડવાનું સૌથી મોટું કામ કરવા જઈ રહી છે એટલું જ નહીં પરંતુ, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નદીઓનું જોડાણ ખૂબ સારી રીતે થશે. કોંગ્રેસે હરિયાણામાં કહ્યું હતું કે, મધ્યપ્રદેશ અને હરિયાણા વચ્ચે જે કરાર નદીઓને લઈને થયા છે તે યોગ્ય નથી, અમે તેને ફરીથી નામંજૂર કરી દઈશું પરંતુ, તેઓ સરકારમાં આવે તો નામંજૂર કરે. કોંગ્રેસ સરકારની માનસિકતા આવી હોવાને કારણે તેઓ સત્તા પર આવી શક્યા નથી. વોટર હાર્વેસ્ટિંગ માટે 3500 ગામોના કુલ 1350 લોકોએ સહકાર આપવા માટે સહમતી આપી છે.
બે વર્ષમાં સૌથી વધુ પાણી રાજસ્થાનમાં હશે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, અત્યારે સૌથી વધુ મુશ્કેલી રાજસ્થાનમાં પાણીને લઈને ઊભી થઈ છે હું વિશ્વાસ અપાવું છું કે, આવનારા બે વર્ષમાં દેશમાં સૌથી વધુ પાણી રાજસ્થાનમાં હશે. રાજસ્થાનમાં 11 નદી જોડવાનું કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ તેમજ મધ્યપ્રદેશની પણ 11 નદીઓને જોડવાનું કામ થશે. એક નદી જે હરિયાણાથી મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં આવે છે અને પાટણમાં જ્યાં ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે તે નદીઓને જોડવાને લઈને પણ કામગીરી ખૂબ ઝડપથી અમે શરૂ કરવા જઈ રહ્યા છે. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કંઈક મોટી જાહેરાત થવાની છે પાકું છે. નવસારી અને વલસાડ જિલ્લાની નદીઓને જોડવાનું કામ આવનારા દિવસોમાં અમે કરવા જઈ રહ્યા છે. વોટર હાર્વેસ્ટિંગનુ ગુજરાત મોડલ દેશભરમાં ચર્ચામાં રહેશે અને તેને અન્ય રાજ્યો પણ અપનાવશે.
દિવાળી બાદ નદી જોડવા માટેની મહત્વની જાહેરાત થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિવાળી બાદ દેશમાં નદી જોડવાની શરૂઆત અંગે મોટી જાહેરાત કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાત અને મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાનની નદીઓને જોડવા માટેની પહેલ સૌથી પહેલા કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર ભવ્ય કાર્યક્રમ થકી નદી જોડવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના અને મધ્યપ્રદેશના બે લાખ લોકોને ભેગા કરવામાં આવશે તે પ્રકારનો આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે તે પ્રકારની ચર્ચા પણ છે.