રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ અને સક્ષમ નેતુત્વના 23 વર્ષથી અવિરત વિકાસ યાત્રાની સફળતાની ગાથાને જનજનમાં ઉજાગર કરવા માટે ઠેર ઠેર “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં યુવા અને સાંસ
.
‘કલ કે કલાકાર’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની નામાંકિત નૃત્યાંગનાઓ દ્વારા શિવ તાંડવ, મોડેલ સ્કૂલ ઇણાજની વિદ્યાર્થિનીઓ દ્વારા “રાણો અચિંધો રાજ્મે ભેણું” ગીત પર કચ્છી રાસ, તાલાલા તાલુકાના શિક્ષીકા બહેનોના ભગવતી ગ્રુપ દ્વારા ભારતીય સંસ્કૃતિના પ્રાચીન મૂલ્યો આધારિત ‘સોના વાટકડી’ પ્રાચીન ગરબા રજૂ કરવામાં આવ્યા હતા.
ઉપરાંત સરદાર વલ્લભભાઈ અધ્યાયન મંદિરની વિદ્યાર્થિનીઓ દ્વારા દુલાભાયા કાગ લિખિત “મન મોર બની થનગનાટ કરે” ગીત પર મનમોહક નૃત્ય રજૂ કર્યુ હતું. કાર્યક્રમના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત ‘આવતી કળાઈ’ ગરબા પર પ્રાચીન-અર્વાચીન ફ્યૂઝન ગરબા રજૂ કરી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપક નિમાવતે કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ કલેક્ટર-1 શ્રી ભૂમિકા વાટલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરૂણ રોય, યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા, જિલ્લા રમત અધિકારી કાનજી ભાલિયા સહિત શાળા-કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.