વોશિંગ્ટન2 કલાક પેહલા
- કૉપી લિંક
- કર્મચારીઓના ખરાબ વર્તન- બર્નઆઉટનું કારણ ઈમેલ
આજના ડિજિટલ યુગમાં કામ અને અંગત જીવન વચ્ચેની રેખા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. સ્માર્ટફોન અને ઈમેલથી કામ તો સરળ થાય છે પરંતુ તેનાથી કર્મચારીઓને નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. નોકરીમાંથી ઘરે આવ્યા બાદ ઈમેલ આવવો અને રિપ્લાય આપવો સામાન્ય બાબત બની છે. પરંતુ શું આ કર્મચારીઓ અને કંપનીઓ બંને માટે યોગ્ય છે?
એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે કામના કલાકો બાદ પણ ઈમેલનો જવાબ આપવો પડે તે કર્મચારી અને કંપની બંને માટે જોખમી છે. કારણકે કામના કલાકો બાદ પણ ઈ-મેલનો જવાબ આપવો એ કર્મચારીને તણાવ પેદા કરે છે અને બર્નઆઉટનો શિકાર બને છે. તેનાથી કંપનીની ઉત્પાદકતા પર પણ નકારાત્મક અસર જોવા મળે છે. કર્મચારીઓ વચ્ચે ઓનલાઇન કનેક્ટિવિટીના ટ્રેન્ડમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. પહેલાંની તુલના કરતાં હવે કર્મચારીઓ ઈ-મેલ, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવાં પ્લેટફોર્મ પર જોડાઈને કામ કરી શકે છે. આ સરવેમાં 315 કર્મચારીઓએ ભાગ લીધો હતો.
પારિવારિક જીવન પર પણ નકારાત્મક અસર કામના કલાકો પછી પણ જો કર્મચારીઓને ઈમેલ કરવામાં આવે આ તેમના ખરાબ વર્તન માટે જવાબદાર બની શકે છે. તેના કારણે કર્મચારીઓ સાધારણ જીવનમાં પણ તેઓ કામ સાથે જોડાયેલા હોય તેવું તેમને લાગે છે. તેનાથી તેમની કામ કરવાની ક્ષમતામાં ઘટાડો અને તેમના પારિવારિક જીવન પર પણ તેની નકારાત્મક અસર પડે છે.