31 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમિતાભ બચ્ચન ઘણીવાર ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર તેમના પિતા હરિવંશ રાય બચ્ચન વિશે વાત કરે છે. બચ્ચન ક્યારેય તેમના પિતા પ્રત્યે આદર દર્શાવવાની તક ગુમાવતા નથી, ક્યારેક તેમની કવિતાઓ સંભળાવીને અને ક્યારેક તેમનાથી સંબંધિત વાર્તાઓ કહીને બતાવે છે કે તેઓ કેટલા પ્રેરણાદાયી હતા. આ વખતે તેમણે તેમના પિતા હરિવંશરાય બચ્ચન અને તેમના લગ્ન વિશેની વાતો શેર કરી છે.
આ વખતે અમિતાભ બચ્ચને હોટ સીટ પર બેઠેલા લોકો સાથે તેમના પિતાની પહેલી પત્ની વિશે વાત કરી. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું કે તેમના પિતા તેમની માતા તેજી બચ્ચનને ક્યારે અને કેવી રીતે મળ્યા હતા. આ દિવસોમાં અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન અને તેમની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે. ચાલો જાણીએ બિગ બીએ તેમના માતા-પિતા વિશે શું કહ્યું…
અમિતાભ બચ્ચને તેમના પિતાની પ્રથમ પત્નીનો ઉલ્લેખ કર્યો હતો કેબીસીના સેટ પર અભિનેતા અમિતાભે કહ્યું, “મારા પિતા હરિવંશરાય બચ્ચન તેમની પ્રથમ પત્નીના મૃત્યુ પછી ખૂબ જ ગંભીર સ્થિતિમાં હતા. તેઓ ખૂબ જ દુઃખી હતા. તે સમયે તેમણે લખેલી તમામ કવિતાઓ ઉદાસીથી ભરેલી હતી. “થોડા વર્ષો પછી, તેમણે કવિ સંમેલનમાં થોડા પૈસા કમાવવા જવાનું શરૂ કર્યું.”
હરિવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચન પહેલીવાર બરેલીમાં મળ્યા હતા. અમિતાભ બચ્ચને આગળ કહ્યું, “તેમનો એક મિત્ર યુપીના બરેલીમાં હતો, તેમણે તેમના પિતાને પોતાની પાસે બોલાવ્યા. પિતા પણ તેમને મળવા બરેલી પહોંચ્યા. જ્યારે બંને એકસાથે જમવા બેઠા હતા ત્યારે તેમણે પિતાને એક કવિતા સંભળાવવા વિનંતી કરી. પપ્પાએ કવિતા શરૂ કરતાં પહેલાં, તેમના મિત્રએ તેમની પત્નીને માતા (તેજી બચ્ચન)ને અંદર બોલાવવાનું કહ્યું હતું.
લગ્નના 10 વર્ષ બાદ હરિવંશ રાય બચ્ચનની પહેલી પત્નીનું નિધન થયું હતું ટીબીને કારણે શ્યામાનું થયું હતું નિધનઃમે, 1926માં જ્યારે હરિવંશ રાય બીએ ફર્સ્ટ યરમાં હતાં, ત્યારે તેમના લગ્ન અલ્હાબાદમાં રહેતી શ્યામા દેવી સાથે કરવામાં આવ્યા હતાં. આ સમયે હરિવંશ રાયની ઉંમર 19 અને શ્યામા દેવીની ઉંમર 14 વર્ષની હતી. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે 1929માં હરિવંશ તથા શ્યામા દેવીનું આણું થયું હતું. જ્યારે શ્યામા દેવી સાસરે આવી ત્યારે જ તેમને તાવ હતો. સારવાર દરમિયાન ખબર પડી કે તેમને ટીબી છે. આ જાણીને હરિવંશ રાયને ઘેરો આઘાત લાગ્યો હતો. તેમ છતાંય પત્નીને પ્રેમ કરતાં હરિવંશ રાય તેમની સતત દેખરેખ લાગતા હતાં. લગ્નના 10 વર્ષ બાદ એટલે કે 1936માં શ્યામા દેવીનું નિધન થયું હતું. પત્નીના મોતથી હરિવંશ રાય ભાંગી પડ્યાં હતાં.
શ્યામાનાં નિધનના પાંચ વર્ષ થઈ તેજી સૂરી સાથે મુલાકાત શ્યામાનાં નિધનના પાંચ વર્ષ બાદ એટલે કે 1941માં તેજી બચ્ચન સાથે બરેલીમાં એક મિત્ર પ્રકાશના ઘરે થઈ હતી. આ મુલાકાત નવા વર્ષના એક દિવસ પહલાં એટલે કે 31 ડિસેમ્બર થઈ હતી. હરિવંશ રાયે પોતાની કવિતા સંભળાવી હતી. તેમણે પોતાની ઓટો બાયોગ્રાફીમાં લખ્યું છે, ”મેં કવિતા વાંચવાનું શરૂ કર્યું, હું એક પલંગ પર બેઠો હતો. મારી સામે પ્રકાશ હતા અને મિસ તેજી સૂરી તેની પાછળ ઉભી હતી. ગીત ગાતા ગાતા મારું ગળું ભરાઈ આવ્યું. કવિતા સાંભળીને મિસ તેજી સૂરીની આંખો પણ ભીની થઈ ગઈ. તેમની આંખમાંના આંસુ પ્રકાશના ખભા પર પડી રહ્યાં હતાં. આ જોઈને મારું ગળું પણ ભરાઈ આવ્યું.” અહીંથી જ આ બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી. થોડાં દિવસ બાદ બંનેએ લગ્ન કરી લીધા હતાં. જોકે, તેજી સૂરી પંજાબી હતી અને તેથી જ હરિવંશ બચ્ચનના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. હરિવંશ રાયે પરિવારની વિરૂદ્ધમાં જઈને તેજી સાથે લગ્ન કર્યાં હતાં. આથી જ તેજી બચ્ચન ક્યારેય પોતાના સાસરે જઈ શક્યા નહોતાં.