GCCI દ્વારા તારીખ 16મી ઑક્ટોબર, 2024ના રોજ ટાટા ગ્રૂપના એમેરિટસ ચેરમેન પદ્મ વિભૂષણ સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલતા જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે રતન ટાટાના એક દૂરંદેશી નેતા તેમ
.
પત્રકાર અજય ઉમટ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો કે, રતન ટાટા એક ન ભૂતો ન ભવિષ્યતિ વ્યક્તિત્વ હતા. રતન ટાટા તેવું વ્યક્તિત્વ હતા કે જેઓએ ટાટા ગ્રુપ દ્વારા અને તેઓની 107થી વધુ બ્રાન્ડ્સ દ્વારા વૈશ્વિકરણની શરૂઆત કરી હતી. તેમણે ટાટા ગ્રૂપની સિંગુરથી સાણંદ સુધીની યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો અને નરેન્દ્ર મોદીએ રતન ટાટાને કેવી રીતે આમંત્રણ આપ્યું અને કેવી રીતે ગુજરાતના ઉદ્યોગપતિઓએ ટાટાના પ્રવેશને સમર્થન આપ્યું તે વિશે વાત કરી હતી. તેમણે રતન ટાટા દ્વારા કરેલ ટિપ્પણીનો કે “જો તમે ગુજરાતમાં રોકાણ ન કરો તો તમે ભૂલ કરી રહ્યા છો” તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
GCCI ડિજિટલ માર્કેટિંગ, ડિજિટલ મીડિયા અને બુલેટિન કમિટીના અધ્યક્ષ પ્રદીપ જૈને ઉલ્લેખ કર્યો કે રતન ટાટાના નિધનથી ભારતે એક અનમોલ પુત્ર ગુમાવ્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે રતન ટાટાના જીવનની વાતો પંચતંત્રની વાર્તાઓ જેટલી જ અસરકારક છે. તેમણે ફ્રાન્સ, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશો દ્વારા રતન ટાટાના સન્માન વિશે વાત કરી હતી. જીસીસીઆઈ પ્રેસ એન્ડ મીડિયા ટાસ્કફોર્સના અધ્યક્ષ જીગીશ શાહ દ્વારા આભારવિધિ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.