55 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેની પર્સનલ લાઈફના કારણે હંમેશા ચર્ચામા રહે છે. મલાઈકા હજુ અર્જુન કપૂર સાથેના બ્રેકઅપના દર્દમાંથી બહાર આવી શકી નહોતી, એવામા પિતા અનિલ મહેતાના નિધનથી તે ભાંગી પડી હતી. જોકે, બ્રેકઅપ બાદ પણ અર્જુન તેના પિતાના મૃત્યુ સમયે મલાઈકા સાથે ઉભેલો જોવા મળ્યો હતો. એવામા પહેલીવાર એક્ટ્રેસ મૌન તોડ્યું અને બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી હતી.
બ્રેકઅપ પર મલાઈકા તોડ્યું મૌન મલાઈકા અરોરાએ ગ્લોબલ સ્પા મેગેઝીનને આપેલ ઇન્ટરવ્યૂમા પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. અર્જુન સાથે બ્રેકઅપના સવાલ પર પણ તેને પહેલીવાર જવાબ આપ્યો. મલાઈકાએ અર્જુન સાથેના બ્રેકઅપ પર કહ્યું, મને ખાતરી છે કે મેં મારા જીવનમાં જે પણ નિર્ણય લીધો છે તે એકદમ સાચો છે. આ નિર્ણય મારા જીવનને પર્સનલ અને પ્રોફેશનલ રીતે આગળ લઈ જશે. મને કોઈ વાતનો અફસોસ નથી. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે વસ્તુઓ અમે ઇચ્છતા હતા તે રીતે સમાપ્ત થઈ ગઈ.
5 વર્ષ બાદ રિલેશનશિપનો અંત
લાંબા સમયથી કરી રહ્યાં હતા ડેટ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બંનેએ હંમેશા સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેના પ્રેમનો ખુલાસો કર્યો છે. મલાઈકા અને અર્જુન ઘણીવાર વેકેશન એન્જોય કરતા જોવા મળતા હતા. ઘણી વખત તેમના લગ્નના સમાચાર પણ સામે આવ્યા હતા. જો કે, આ તમામ સમાચાર માત્ર અફવા હતી. તેમના બ્રેકઅપના સમાચારે ફેન્સનું દિલ તોડી નાખ્યું હતું.