અમદાવાદમાં પીરાણા ખાતે એકત્રિત કરાતા કચરાના નિકાલની સમસ્યા દૂર કરવા જિન્દાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપનીને કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે જગ્યા ફાળવવામાં આવી છે. જિન્દાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને પ્રાયોગિક
.
GUVNLને કિ. વોટ દીઠ રૂ. 7.07ના ભાવથી આપવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાંથી જે કચરો ભેગો કરવામાં આવે છે તેમાં પીરાણા ખાતે જિન્દાલ એનર્જીનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મારફતે દરરોજ 1000 મેટ્રિક ટન કચરો પ્રોસેસ થશે અને તેમાંથી કલાક દીઠ 15 મેગા વોટ લેખે દરરોજ 360 મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે અને જિન્દાલ દ્વારા આ વીજળી GUVNLને કિ. વોટ દીઠ રૂ. 7.07ના ભાવથી આપવામાં આવશે. આગામી ત્રણ- ચાર મહિનામાં આ પ્લાન્ટ મારફતે વીજળી ઉત્પન્ન કરાશે. આ પ્લાન્ટમાં હાલ ટ્રાયલ રન કરવામાં આવી રહ્યું છે.
વેસ્ટમાંથી ગ્રીન એનર્જી/ બાયોગેસ પ્રોસેસ મારફતે વીજળી ઉત્પન્ન થશે અમદાવાદને સ્વચ્છતા અભિયાન અંતર્ગત અગ્રતા ક્રમે પહોંચવામાં આ પ્લાન્ટ ખૂબ જરૂરી છે. શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલી હોટલો, રેસ્ટોરેન્ટ, શોપિંગ મોલ, ગાર્ડન, શાળાઓમાંથી ઉત્પન્ન થતા કચરાના નિકાલ માટે ઓર્ગેનિક વેસ્ટ ટુ કન્વર્ટર મશીન મૂકવામાં આવશે અને આ બાયોડીગ્રેડેબલ વેસ્ટમાંથી ગ્રીન એનર્જી/ બાયોગેસ પ્રોસેસ મારફતે વીજળી ઉત્પન્ન થશે. આ પ્રકારે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ અમલી બનવાને પરિણામે વીજળી ઉત્પન્ન થશે.