દુષ્કર્મ કેસમાં સુરત જેલમાં સજા કાપી રહેલ નારાયણ સાંઈને વૃદ્ધ પિતા આશારામને જોધપુર જેલમાં મળવા જવાનો માર્ગ મોકળો થયો છે. આશારામની વૃદ્ધાવસ્થાને જોતા ગુજરાત હાઈકોર્ટમાં નારાયણ સાંઈએ આશારામની મુલાકાત લેવા અરજી કરી હતી. જેની ઉપર ડબલ જજની બેન્ચ દ્વારા હક
.
નારાયણ સાંઈની અરજીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે આ બાબતે જુદી-જુદી તપાસ સંસ્થાઓના અહેવાલ સમર્થનમાં નથી. સરકારે નારાયણ સાંઈની મુસાફરી સામે વાંધો લીધો હતો. નારાયણ સાંઈના ફોલોઅર્સના વર્તનને લઈને ચિંતા વ્યકત કરી હતી. આગાઉ ગુજરાતમાં નકારાત્મક બનાવ બની ચૂક્યા છે હોવાનું કોર્ટને જણાવાયુ હતું સાથે જ કાયદો વ્યવસ્થા કથળવાની વાત રજૂ કરાઈ હતી. સરકારી વકીલે આશારામનો મેડિકલ રિપોર્ટ માંગવા કોર્ટને રજૂઆત કરી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે આગાઉ નારાયણ સાંઈ માતાના ખોટા મેડિકલ સર્ટિફિકેટ બનાવી ચુક્યો છે. નારાયણ સાંઈના અનુયાયીઓને ખબર પડતાં લોકોના ટોળા જામશે, આરોપીની સુરક્ષ પણ પણ જોવાની હોય છે. જો કે નારાયણ સાંઈના વકીલે આશ્વાશન આપ્યું હતું કે નકારાત્મક ઘટના નહિ બને, નહિતર તે અરજદારના ભવિષ્યની કાનૂની પ્રક્રિયા ઉપર નકારાત્મક અસર કરશે.
કોર્ટે કહ્યું હતું કે આશારામને જોધપુરથી મહારાષ્ટ્ર સારવાર માટે લઈ જવાયા હતા. નારાયણ સાંઇ કરતા આશારામના અનુયાયીઓ વધુ છે, તેમ છત્તા કોઈ નકારાત્મક ઘટના બની નહોતી. અરજદાર જ ફ્લાઈટ અને પોલીસ જાપ્તાનો ખર્ચ ઉઠાવશે. આશારામની સજા સસ્પેન્ડ કરવાની અરજી આ કોર્ટ નકારી ચૂકી છે. આશારામ ઘરડા થયા છે, વૃદ્ધાવસ્થાથી તેમની તબિયત સારી નથી, જેથી પુત્ર મળવા માંગે છે. સુરતથી જોધપુર ફલાઈટમાં જવાનું છે. કોર્ટના ઓર્ડર બાદ સમય અને દિવસ સરકાર નક્કી કરશે. આ માટે કોર્ટ કહે તેટલી ડિપોઝિટ પોલીસમાં નારાયણ સાઈ જમાં કરાવશે.