પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળાથી જિલ્લા અદાલત સુધીનો રોડ ઉબડખાબડ થઈ ગયેલ હોઈ રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે શુક્રવારે અહીંથી પસાર થતા વકીલનું એક્ટિવા પલટી મારી જતાં એક્ટિવાને નુકશાન થયું હતું જ્યારે વકીલને પણ ઇજાઓ થઈ હતી.
.
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાની કામગીરી શરૂ કરી છે છતાં પણ ગરનાળા વિસ્તારમાં રોડ રિપેરિંગની કામગીરી શરૂ ન થતાં રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. શહેરના પ્રથમ રેલવે ગરનાળાથી જિલ્લા અદાલત સુધીનો રોડ બિસમાર થઈ ગયો છે,જેના લીધે અકસ્માતના બનાવ બનતા હોય છે.ત્યારે જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ હિમાંશુ મકવાણા શુક્રવારે આ રોડ ઉપરથી એક્ટિવા લઈને પસાર થઇ રહ્યા હતા તેવામાં અચાનક પલટી મારી ગયા હતા.જેમાં એક્ટિવાને નુકસાન થયું હતું અને વકીલને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી.વકીલે જણાવ્યું હતું કે શહેરમાં કોઈ મોટા નેતા આવે છે ત્યારે નગરપાલિકા તાત્કાલિક રોડ રિપેર કરી નાખે છે અને રોડ ના હોય ત્યાં યુદ્ધના ધોરણે રોડ પણ બનાવી દેવાય છે.પરંતુ જ્યારે આમ જનતાની વાત આવે ત્યારે કેમ સાપ સૂંઘી જાય છે ખબર નથી પડતી. આ રોડ ઘણા સમયથી બિસમાર થઈ ગયો છે.પણ નગરપાલિકા રિપેરિંગ કામમાં કેમ રસ લેતું નથી તેવો રોષ વ્યકત કર્યો હતો.
ગરનાળા વિસ્તારમાં રોડ રિપેર ન કરાતાં અવરજવરમાં મુશ્કેલી
ના હોય ત્યાં યુદ્ધના ધોરણે રોડ પણ બનાવી દેવાય છે.પરંતુ જ્યારે આમ જનતાની વાત આવે ત્યારે કેમ સાપ સૂંઘી જાય છે ખબર નથી પડતી. આ રોડ ઘણા સમયથી બિસમાર થઈ ગયો છે.પણ નગરપાલિકા રિપેરિંગ કામમાં કેમ રસ લેતું નથી તેવો રોષ વ્યકત કર્યો હતો.