37 મિનિટ પેહલા
- કૉપી લિંક
આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને પણ લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. સીએમ સ્ટાલિને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નવવિવાહિત યુગલો 16 બાળકો પેદા કરે.
ચેન્નાઈમાં હિન્દુ ધાર્મિક અને એન્ડોમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. અહીં મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની હાજરીમાં 31 યુગલોએ લગ્ન કર્યા. તેમણે કહ્યું કે કદાચ સમય આવી ગયો છે કે યુગલો 16 પ્રકારની સંપત્તિને બદલે 16 બાળકોને જન્મ આપે.
સીએમ એમકે સ્ટાલિને માનવ સંસાધન અને સામાજિક ન્યાય પ્રધાન શેખર બાબુની પ્રશંસા કરીને દાવો કર્યો કે સાચા ભક્તો મંદિરોની જાળવણી અને સંસાધનોને સુવ્યવસ્થિત કરવા માટે ડીએમકે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરે છે. તેમણે કહ્યું કે જે લોકો ભક્તિને દેખાડા તરીકે ઉપયોગ કરે છે તેઓ નારાજ છે અને ડીએમકે સરકારની સફળતાને રોકવા માટે કેસ દાખલ કરી રહ્યા છે.
સંસદીય બેઠકોનો પણ ઉલ્લેખ કર્યો સીએમ એમકે સ્ટાલિને કહ્યું, આપણી વસતિ ઘટી રહી છે જેની અસર આપણી લોકસભા સીટો પર પણ પડશે, તો શા માટે આપણે દરેક 16 બાળકો પેદા ન કરીએ.
તેમણે દાવો કર્યો હતો કે અગાઉ વડીલો નવા પરિણીત યુગલોને 16 પ્રકારની સંપત્તિ પ્રાપ્ત કરવવાના આશીર્વાદ આપતા હતા. કદાચ હવે 16 પ્રકારની સંપત્તિને બદલે 16 બાળકો પેદા કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું, “જ્યારે વડીલો કહેતા હતા કે તમે 16 સંતાનો પ્રાપ્ત કરો અને અને સમૃદ્ધ જીવન જીવો, તો તેનો અર્થ 16 બાળકો નહીં પરંતુ 16 પ્રકારની સંપત્તિ હતી, જેનો લેખક વિશ્વનાથને તેમના પુસ્તકમાં ગાય, ઘર, પત્ની, બાળકો, શિક્ષણ, જ્ઞાન, અનુશાસન, ભૂમિ, જળ, ઉંમર, વાહન, સોનું, સંપત્તિ, પાક અને પ્રશંસા, જિજ્ઞાસાના રૂપમાં ઉલ્લેખ કર્યો છે.
સીએમ ચંદ્રબાબુ નાયડુએ પણ વસતિને લઈને આવું જ નિવેદન આપ્યું હતું આ પહેલા રવિવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધોની વધતી જતી વસતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે વધતી જતી ચિંતાઓને ટાંકીને, તેમણે દક્ષિણના રાજ્યોમાં પરિવારોને વધુ બાળકો પેદા કરવા વિનંતી કરી. નાયડુએ દેશમાં યુવા વસતિને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નાયડુએ જાહેરાત કરી કે, “સરકાર એક કાયદો લાવવાની યોજના બનાવી રહી છે, જેમાં બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે.”
નાયડુએ વધુમાં કહ્યું કે આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં ગામડાઓમાં માત્ર વૃદ્ધો જ બાકી છે. દક્ષિણના રાજ્યોમાં પ્રજનન દર સતત ઘટી રહ્યો છે. દેશમાં સરેરાશ પ્રજનન દર 2.1 છે, જ્યારે દક્ષિણ રાજ્યોમાં આ આંકડો ઘટીને 1.6 થયો છે. સીએમએ કહ્યું, પહેલા તેઓ વસતિ નિયંત્રણની વાત કરતા હતા, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.
ભારત વૃદ્ધ થઈ રહ્યું છે, યુવાનોની વસતિ ઘટી રહી છે સેન્ટરના યુથ ઈન ઈન્ડિયા-2022 રિપોર્ટ અનુસાર, 2036 સુધીમાં દેશની માત્ર 34.55 કરોડ વસતિ જ યુવાનોની હશે, જે હાલમાં 47% કરતા વધુ છે. હાલમાં દેશમાં 15 થી 25 વર્ષની વચ્ચે 25 કરોડ યુવાનો છે. આગામી 15 વર્ષમાં તે ઝડપથી ઘટશે.
2036 સુધીમાં, 12%થી વધુ વસતિ વૃદ્ધ હશે યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)ના ઈન્ડિયા એજીંગ રિપોર્ટ 2023 અનુસાર, 2011માં ભારતમાં યુવા વસતિની સરેરાશ ઉંમર 24 વર્ષ હતી, જે હવે 29 વર્ષ થઈ ગઈ છે. ભારતમાં વૃદ્ધોની વસતિ 2036 સુધીમાં 12.5%, 2050 સુધીમાં 19.4% અને સદીના અંત સુધીમાં 36% થઈ જશે.
પ્રજનન દર શું છે? નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) અનુસાર, ભારતમાં સરેરાશ દરેક મહિલા બે કે તેથી વધુ બાળકોને જન્મ આપે છે. જો કે, આમાંના ઘણા એવા બાળકો છે જે 18 વર્ષની ઉંમર સુધીમાં મૃત્યુ પામે છે. તેમજ, કેટલીક મહિલાઓ બાળકને જન્મ આપવામાં સક્ષમ નથી.
હાલમાં નેશનલ સ્તરે પ્રજનન દર 2.1 હોવો એ ચિંતાનો વિષય નથી. આ સૂચવે છે કે એક જનરેશન બીજી જનરેશનને બદલી શકે છે. જો કોઈ દેશનો કુલ પ્રજનન દર (TFR- ટોટલ ફર્ટિલીટી રેટ) લાંબા સમય સુધી 2.1થી નીચે આવે છે, તો તે સામાન્ય રીતે વસતિમાં ઘટાડાના સંકેત આપે છે.
2036માં ભારતની વસતિ 152 કરોડ થશે
વર્ષ 2036માં ભારતની વસતિ 152.2 કરોડ સુધી પહોંચી શકે છે. 12 ઓગસ્ટે આ અંગેનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
એવું નોંધવામાં આવ્યું હતું કે સેક્સ રેશિયો 2036 સુધીમાં 1000 પુરૂષો દીઠ 952 મહિલાઓ સુધી પહોંચવાની અપેક્ષા છે. 2011ની વસતિ ગણતરીમાં આ આંકડો 943 હતો.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વસતિમાં મહિલાઓની ટકાવારીમાં પણ થોડો સુધારો જોવા મળી શકે છે. વર્ષ 2036માં મહિલાઓની ટકાવારી વધીને 48.8% થવાની ધારણા છે. 2011માં તે 48.5% હતો.
પ્રજનન દરમાં ઘટાડાને કારણે, વર્ષ 2011ની સરખામણીએ વર્ષ 2036માં 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું પ્રમાણ ઘટવાની ધારણા છે. આ સમય દરમિયાન, 60 વર્ષ અને તેથી વધુ વયની વસતિનું પ્રમાણ ઝડપથી વધશે.
UN રિપોર્ટ- 77 વર્ષમાં ભારતની વસતિ બમણી થઈ યુનાઈટેડ નેશન્સ (UN)ની આરોગ્ય એજન્સી યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)એ એપ્રિલ 2024માં એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે છેલ્લા 77 વર્ષમાં ભારતની વસતિ બમણી થઈ ગઈ છે. તે 144.17 કરોડ પર પહોંચી છે.
રિપોર્ટ અનુસાર, ભારતમાં 2006-2023 વચ્ચે 23% બાળ લગ્નો થયા છે. આ ઉપરાંત, ભારતની કુલ વસતિના 24% 0-14 વર્ષની વયના લોકોની છે. 15-64 વર્ષની વયના લોકોની સંખ્યા સૌથી વધુ 64% છે.