52 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિવાળી એ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે, જે દર વર્ષે દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ આ તહેવાર આસો મહિનાની અમાસના દિવસે આવે છે અને આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પદ્ધતિસર કરવાથી ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તેની સાથે આર્થિક લાભ પણ થાય છે. ખરેખર દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. લોકો પોતાના ઘરની સફાઈમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો છો કે આ દિવાળીમાં દેવી લક્ષ્મી તમારા ઘરે આવે, તો કેટલીક વસ્તુઓ તમારા ઘરની બહાર રાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા પર દેવીની કૃપા થશે અને દરિદ્રતા પણ દૂર થશે.
દિવાળી પહેલાં ઘરમાંથી કાઢી નાખો આ વસ્તુઓ
તૂટેલાં કાચ જો તમારા ઘરમાં તૂટેલા કાચ હોય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા અરીસાને રાખવાથી નકારાત્મક ઊર્જા ફેલાય છે. આનાથી પરિવારના સભ્યો પર પણ ખરાબ અસર પડે છે. તેથી દિવાળી પહેલાં ઘરમાં પડેલાં તૂટેલા અરીસાને દૂર કરી દેવા જોઈએ.
બંધ પડેલી ઘડિયાળ ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોવું એ સમયના વિક્ષેપ અને નકારાત્મકતાની નિશાની માનવામાં આવે છે. બંધ ઘડિયાળનો અર્થ છે કે જીવનમાં પ્રગતિ અટકી ગઈ છે. તેથી, અટકેલી ઘડિયાળનું સમારકામ કરાવો અથવા તેને ઘરમાંથી દૂર કરો.
જૂનું અથવા તૂટેલું-ક્ષતિગ્રસ્ત ફર્નિચર જો તમારા ઘરમાં વાસણો, ફર્નીચર અથવા ડેકોરેટિવ વસ્તુઓ જેવી વસ્તુઓ તૂટેલી હોય તો તે ઘરમાં નકારાત્મક ઊર્જા પેદા કરે છે. ઘરમાં જૂનું કે તૂટેલું ફર્નિચર હોવું પણ નકારાત્મકતા દર્શાવે છે. ઘર રાખવામાં આવેલ ખરાબ કે તૂટેલું ફર્નિચર ઘરની પ્રગતિમાં અવરોધરૂપ બને છે. તેથી દિવાળી પહેલાં જો તમારા ઘરમાં વાસણો, ફર્નીચર અથવા ડેકોરેટિવ વસ્તુઓ જેવી વસ્તુઓ તૂટેલી હોય તો તેને તરત જ ઘરમાંથી દૂર કરો.
તૂટેલી મૂર્તિઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી-દેવતાઓની તુટેલી મૂર્તિઓ રાખવી અશુભ માનવામાં આવે છે. ઘરમાં ક્યારેય પણ દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ ન રાખવી જોઈએ. આ દુર્ભાગ્યનું કારણ બની શકે છે. તેથી, દિવાળીની સફાઈ દરમિયાન, તૂટેલી મૂર્તિઓને કોઈ પવિત્ર સ્થાન પર લઈ જાઓ અથવા તેને નદીમાં ફેંકી દો. દિવાળી પહેલાં આવી મૂર્તિઓને ઘરમાંથી હટાવી દેવી જોઈએ જેથી ઘરમાં લક્ષ્મીનું આગમન થાય અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે.
ખરાબ લોખંડનો સામાન અને પસ્તી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલી કે ક્ષતિગ્રસ્ત લોખંડની વસ્તુઓ રાખવાથી શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ વધે છે. જેના કારણે આર્થિક અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. તેથી ઘરમાંથી ખરાબ લોખંડની વસ્તુઓ પણ દૂર કરવી જોઈએ. આ સાથે જૂના અખબારો, સામયિકો અથવા ઘરની અન્ય કોઈ નકામી વસ્તુઓ જગ્યા લે છે અને નકારાત્મક ઊર્જા આકર્ષે છે. આ સિવાય કાટ લાગેલી લોખંડની વસ્તુઓ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. આને નકારાત્મક ઊર્જાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે.
નહીં વપરાયેલ વસ્તુઓ સામાન્ય રીતે લોકો ઘરમાં ન વપરાયેલી વસ્તુઓ રાખે છે, જો કે વાસ્તુ અનુસાર આ વસ્તુઓને ઘરમાં રાખવી સારી નથી માનવામાં આવતી. દિવાળીની સફાઈ દરમિયાન આ વસ્તુઓને ઘરમાંથી હટાવી દેવી જોઈએ. જેમ કે જૂના કપડાં, પુસ્તકો કે સાધનો વગેરે.
અશુભ ચિત્રો ધ્યાનમાં રાખો કે ઘરમાં નકારાત્મકતા દર્શાવતી તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ. આને ઘરમાંથી હટાવી દેવા જોઈએ અને સકારાત્મક અને પ્રેરણાત્મક ચિત્રો લગાવવા જોઈએ.
સૂકા અને મૃત છોડ જો તમારા ઘરમાં સૂકા અને સુકાઈ ગયેલાં છોડ છે, તો તેને તરત જ કાઢી નાખો કારણ કે તે નકારાત્મક ઊર્જા લાવે છે. ઘરમાં નવા અને લીલાછમ છોડ લગાવવા જોઈએ. લીલા છોડને જીવન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
સૂકા ફૂલો અને જૂનો શણગાર ઘરમાં સૂકા ફૂલ રાખવાનું શુભ નથી માનવામાં આવતું, દિવાળી પહેલાં તેને બદલીને નવા ફૂલ લગાવો અને કાળો રંગ અશુભ માનવામાં આવે છે. તેથી, કાળા રંગની વસ્તુઓ ઘરથી દૂર રાખો. આ વસ્તુઓને દૂર કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.
ખરાબ સંબંધોની યાદો જો તમારા જીવનમાં કોઈ ખરાબ અનુભવો અથવા સંબંધોની યાદ આપતી વસ્તુઓ હોય અને તેને જોવાથી તમારા મનમાં નકારાત્મકતા પેદા થતી હોય તો દિવાળીની સફાઈ દરમિયાન ઘરમાંથી દૂર કરો આ વસ્તુઓ કોઈ વ્યક્તિને કામ આવે તેવી હોય તો તમે ઈચ્છો તો આ વસ્તુઓનું દાન કરી શકો છો.
ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક સામાન દિવાળી પર માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. આવી સ્થિતિમાં ઘરમાં કોઈપણ પ્રકારની ક્ષતિગ્રસ્ત કે તૂટેલી વસ્તુઓ ન રાખો. આ વસ્તુઓ ગરીબી તરફ દોરી જાય છે. દિવાળી આવે તે પહેલાં, તમારે ખરાબ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, જૂના ટીવી, કમ્પ્યૂટર, જૂના મોબાઈલ, જૂના બંધ પડેલાં લેપટોપ, જૂના બંધ ચાર્જરો અને ખરાબ રિમોટ કે અન્ય કોઈપણ ઈલેક્ટ્રિક વસ્તુઓને પણ દૂર કરવી જોઈએ.
દિવાળી એ નવી શરૂઆતનો તહેવાર છે. આ વસ્તુઓને દૂર કરીને તમે તમારા જીવનની નવી શરૂઆત કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સંપત્તિ આવે છે. દિવાળીના દિવસે ઘરમાં દીવા પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. મંદિરને સ્વચ્છ રાખો અને દેવી-દેવતાઓને ફૂલ ચઢાવો. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.