શહેરના શાહપુર વિસ્તારમાં કિન્નર પર ત્રણ ભાઈએ છરી વડે હુમલો કરતા ચકચારમચી ગઈ છે. બે દિવસ પહેલા ત્રણ ભાઈએ કિન્નર પર હુમલો કર્યો હતો. જેના કારણે તેણે ફિનાઇલ પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. પોલીસે કિન્નર પર હુમલાના કેસમાં ત્રણેય ભાઈને લોકઅપમાં પૂરી દીધા
.
ત્રણેય ભાઈ દારૂ પીધેલી હાલતમાં આવ્યા હતા શાહપુર વિસ્તારમાં આવેલા દિલ્હી ચકલા પાસે પ્રેમાભાઈના મહોલ્લામાં રહેતા પ્રગ્યામાસી દાતણિયાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં અરૂણ દાતણિયા, તેના ભાઈ જેકી અને વિક્કી વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. પ્રગ્યામાસી તેના માતા-પિતા સાથે રહે છે અને ભિક્ષાવૃત્તિ કરીને ગુજરાન ચલાવે છે. ગઈકાલે પ્રગ્યામાસી તેની માતા સાથે ઘરની પાસે ઉભા હતા ત્યારે ત્યારે અરૂણ, જેકી અને વિક્કી દારૂ પીધેલી હાલતમાં આવ્યા હતા. ત્રણેય આવતાની સાથે જ કહેવા લાગ્યા હતા કે, અમારા વિરૂદ્ધ અરજી કેમ કરી છે.
પ્રગ્યાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્રણેયની વાત સાંભળીને પ્રગ્યાએ જવાબ આપ્યો હતો કે, તમે મને ખોટી રીતે હેરાન-પરેશાન કરો છો. પ્રગ્યાની વાત સાંભળતાની સાથે જ ત્રણેયે ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી. પ્રગ્યાએ ગાળો બોલવાની ના પાડતા અરૂણ અને વિક્કીએ મોઢા પર ફેંટો મારવાની શરૂ કરી દીધી હતી. અરૂણે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને પ્રગ્યા પર હુલાવી દીધી હતી. પ્રગ્યાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે હુમલાખોરો નાસી ગયા હતા. પ્રગ્યાએ આ મામલે વધુમાં જણાવ્યું છે કે, બે દિવસ પહેલા ત્રણેય ભાઈએ હુમલો કર્યો હતો. જેના કારણે મેં ફિનાઈલ પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. શાહપુર પોલીસે ત્રણેય ભાઈ વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. ત્રણેય ભાઈ લોકઅપમાંથી છૂટીને બહાર આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો.