સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન રસ્તા પર ફરીવાર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. મુખ્ય ડાયવર્ઝન રસ્તા પર પાણી ભરાયુ હોવા છતાં જીવના જોખમે વાહન ચાલકો સહિત બસો રસ્તા પરથી પસાર થતા નજરે
.
હાલમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે ભોગાવો નદીનું પાણી ડાયવર્ઝન રસ્તા પર ફરી વળ્યું છે. એમાંય દર વર્ષે ચોમાસામાં ડાયવર્ઝન રસ્તા પર પાણી ફરી વળતું હોવાથી તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વઢવાણ તાલુકાના વસ્તડી ગામને જોડતા મુખ્ય ડાયવર્ઝન રસ્તા પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે ગામનાં યુવાનો દ્વારા કોઈ અનીચ્છનીય ઘટના ના બને તે માટે જાતે પથ્થર મુકવાનું શરૂ કરાયું છે. હાલમાં તો મુખ્ય ડાયવર્ઝન રસ્તા પર પાણી ભરાયુ હોવા છતાં જીવના જોખમે વાહન ચાલકો સહિત બસો રસ્તા પરથી પસાર થતા નજરે પડ્યા હતા.