રાજકોટ શહેરમાં આવારા તત્વોનો આતંક દિવસેને દિવસે સતત વધતો જોવા મળી રહ્યો છે. રૂપિયાની લેતીદેતી મામલે 67 વર્ષીય હોટલ સંચાલક વૃદ્ધ ઉપર દશેરાના દિવસે છરી તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને વૃદ્ધની ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. હુમલો કરનાર બન્
.
લોખંડની પાઇપથી હુમલો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા ફરિયાદી કાળુભાઈ વિરજીભાઈ પાનસુરીયા (ઉ.વ.67)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં બે દીકરા છે. તારીખ 17 ઓક્ટોબર 2024ના રોજ હું સવારે 11 વાગ્યાની આસપાસ મારી હોટલ પાર્કવ્યુ રજપુતપરા મેઇન રોડ રાજકોટ ખાતે હતો. ત્યારે મારી પાર્ક કરેલી ગાડી કીયા સોનેટ ગાડી લઈને સ્વામીનારાયણ મંદીર ભુપેન્દ્ર રોડ પર જમવા જતો હતો. તે દરમિયાન દિનેશભાઈ મુછડી અને રમેશભાઈ બોરીચા મારી ગાડી પાસે આવી ડ્રાઈવિંગ સીટ પાસેના કાચમાં લોખંડનો પાઈપ મારી કાચ તોડી નાખ્યો અને મને કહ્યું કે નીચે ઉતર. દરમિયાન આ દિનેશે મારી ગાડીના આગળના કાચમાં પાઈપ મારી તોડી નાખ્યો ત્યાર બાદ હું ગાડીમાંથી નીચે ઉતરતા આ દિનેશના હાથમાં રહેલી છરી વડે મારા ડાબા હાથની આંગળીઓ વચ્ચે ઘા માર્યો અને ઈજા થતા લોહી નીકળવા લગ્યું હતું. જેથી હું ગભરાઈને ભાગવા જતા રમેશ બોરીચાએ તેના હાથમાં રહેલા લોખંડના પાઈપ વડે ડાબા હાથમાં મારવા લાગતા મારા ડાબા હાથમાં ઈજા પહોંચી હતી.
પૈસા આપી દો નહીં તો જાનથી મારી નાખીશું ત્યાર બાદ હુ ત્યાં સામે આવેલી દુકાનમાં જતો રહ્યો ત્યાં તે લોકો દુકાનમાં આવીને મને પાઈપ વડે દિનેશ અને રમેશ મારવા લાગ્યા અને મારતા મારતા તેઓએ કહ્યું હતું કે પૈસા આપી દો નકર તમને મારી નાખીશું કહીને બન્ને ત્યાંથી જતા રહ્યાં હતાં. તે વખતે મારા ડાબા હાથ અને ડાબા પગમાં ઘુંટણની નીચે છરી અને લોખંડના પાઈપ વડે ઈજા પહોંચાડી અને હું ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોય જેથી હાજર માણસોમાંથી કોઈએ 108માં કોલ કરી દેતા 108 આવી જતા તે દરમિયાન મારી હોટલમાં નોકરી કરતા ચેતનસિંહ રાઠોડ પણ આવી ગયો અને મને 108માં સુવડાવી રાજકોટ સરકારી હોસ્પિટલ ઈમર્જન્સી વોર્ડમાં સારવાર માટે દાખલ કર્યો હતો. ત્યાં ફરજ પરના ડોકટરે મારા ડાબા હાથના કાંડાના ઉપરના ભાગે સારવાર કરી તેમજ ડાબા હાથની આંગળીઓ વચ્ચે ટાંકા લીધા હતા. ડાબા પગનાં ઘુંટણનાં નીચેના ભાગે ટાંકા લીધા અને ડાબા હાથમાં એક્ષરે કરાવી જોઈ તપાસી ફેકચર હોવાનું જણાવ્યું છે.
ઇજાગ્રસ્ત વૃદ્ધે હુમલો કરનાર સામે ફરિયાદ નોંધાવી આ બનાવનું કારણ આજથી આશરે 10 વર્ષ પહેલાં મારા ભાગીદાર પ્રફુલભાઈ ગૌસ્વામી સાથે મારે પૈસાની લેતીદેતી બાબતે આશરે 35 લાખ ભાગીદારી પેટે લેવાના નીકળતા હોય જેથી હું અવારનવાર આ પૈસા બાબતે હું મારા ભાગીદાર પ્રફુલભાઈ પાસે જતો હતો અને પ્રફુલભાઈએ આ દિનેશભાઈ અને રમેશભાઈ પાસેથી મારા પૈસાનો વહીવટ કરવા જણાવ્યું. જેનો ખાર રાખી અને ઉપરોકત સ્થળે હતો ત્યાં આવી દિનેશે છરી વડે હાથમાં અને પગમાં તથા રમેશભાઈએ ડાબા હાથમાં અને જમણા હાથમાં લોખંડના પાઈપ વડે ઈજા પહોંચાડી નાશી ગયા હોય તો આ લોકો સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે.