3 કલાક પેહલા
- કૉપી લિંક
ફેમસ કોમેડિયન કૃષ્ણા અભિષેક અને બોલિવૂડ એક્ટર ગોવિંદાના પરિવારનું મનદુઃખ દૂર થયું છે. 7 વર્ષ બાદ કૃષ્ણા તેના મામાના ઘરે ગયો. તેની ખબર-અંતર પૂછી. તેને લાગ્યું કે તેણે અડધો વનવાસ પૂરો કરી લીધો છે. આ મહિનાની શરૂઆતમાં ગોવિંદાથી પોતાની રિવોલ્વરમાંથી મિસફાયર થયું હતું અને તેને પગમાં ગોળી વાગી હતી. તે 3-4 દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો.
કૃષ્ણા 7 વર્ષ બાદ મામાના ઘરે ગયો કૃષ્ણા અભિષેક હાલમાં જ ગોવિંદાને તેના ઘરે મળવા ગયો હતો. તેણે કહ્યું હતું કે ચી ચી મામાની રિકવરી સારી ચાલી રહી છે. હું ઓસ્ટ્રેલિયામાં હતો જ્યારે મેં ચી ચી મામા સાથે થયેલા અકસ્માત વિશે સાંભળ્યું. મેં મારો પ્રવાસ લગભગ રદ કરી દીધો હતો, પરંતુ હોસ્પિટલ સ્ટાફ અને પત્ની કાશ્મીરા સાથે વાત કર્યા પછી મને સંતોષ થયો કે તેઓ સ્વસ્થ છે.
મામાને ભેટી પડ્યો કૃષ્ણા! કૃષ્ણાએ આગળ કહ્યું, હું ભારત પાછો ફર્યો કે તરત જ હું 7 વર્ષમાં પહેલીવાર મામાને મળવા ગયો. એવું લાગ્યું કે જાણે મેં અડધો વનવાસ પૂરો કર્યો છે. તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. મેં તેમની સાથે લગભગ એક કલાક વિતાવ્યો અને સાત વર્ષ પછી નમ્મો (ગોવિંદાની પુત્રી ટીના આહુજા)ને મળ્યો. એ આવી ભાવનાત્મક ક્ષણ હતી. હું મામાને ભેટી પડ્યો હતો. મને આનંદ છે કે ભૂતકાળનો કોઈ ઉલ્લેખ નહોતો.
બધા મનમોટાવ દૂર થઈ ગયા કૃષ્ણાએ આગળ કહ્યું, ‘અમે હસ્યા, મજાક કરી અને જૂના દિવસો યાદ કર્યા. પહેલા જેવું જ લાગ્યું. મામા અને મામૈ (સુનિતા) સાથે તેમના ઘરમાં વિતાવેલાં બધાં વર્ષો મારી આંખ સામે ઝળક્યાં. મેં મામાને કહ્યું કે હોલ સાવ બદલાઈ ગયો છે. હવે તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે. તમામ ફરિયાદો દૂર થઈ ગઈ છે.
‘વડીલોનો ઠપકો સાંભળવા તૈયાર રહેવું જોઈએ’ કૃષ્ણાએ કહ્યું, ‘હું ખુશ છું કે ભૂતકાળનો કોઈ ઉલ્લેખ નહોતો અને પરિવારો આને જ કહેવાય. ગેરસમજ હોઈ શકે છે, પરંતુ કંઈપણ વસ્તુ લાંબા સમય સુધી અલગ રાખી શકતી નથી. હું મામીને મળી શક્યો નહીં, કારણ કે તેઓ વ્યસ્ત હતાં, પરંતુ પ્રામાણિકપણે હું તેમનો સામનો કરવામાં થોડો ડરતો હતો, કારણ કે મને ખબર હતી કે તેઓ મને ઠપકો આપશે (આવું બોલી હસે છે!), પરંતુ જો તમે તમારી અજ્ઞાનતાને કારણે કોઈ ભૂલ કરો છો તો તમારે વડીલોનો ઠપકો સાંભળવા તૈયાર રહેવું જોઈએ.
અગાઉ વિવાદ કેમ ન ઉકેલાયો? તેને પૂછવામાં આવ્યું કે શું વિવાદ પહેલાં પણ ઉકેલી શકાયો હોત, તો તેણે જવાબ આપ્યો, ‘મને ખબર નથી કે આટલો સમય કેમ લાગ્યો. ઘણી બધી વસ્તુઓ થઈ રહી હતી, જેના કારણે મિટિંગ શક્ય ન હતી. જોકે મને ખુશી છે કે આખરે અમે મતભેદો ભૂલીને આગળ વધ્યા છીએ.
ગોવિંદા કૃષ્ણા પર ગુસ્સે હતો વર્ષોથી ગોવિંદા અને કૃષ્ણા તેમજ તેમના પરિવારો વચ્ચે ઘણી વખત તણાવ વધ્યો છે. ગોવિંદાએ તેના ભત્રીજાની રમૂજની ભાવના અને તેના ખર્ચે બનાવેલા જોક્સ સામે ખુલ્લેઆમ વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેની પત્નીના દુર્વ્યવહાર અને અપમાનને ટાંકીને તેણે પોતાને કૃષ્ણા અને કાશ્મીરાથી દૂર કર્યા અને તેમની સાથે ફરી ક્યારેય વાત નહીં કરવાની શપથ લીધા. જોકે જ્યારે આ વર્ષે એપ્રિલમાં કૃષ્ણાની બહેન આરતીના લગ્ન થયા હતા ત્યારે ગોવિંદાએ તેના પુત્ર યશવર્ધન સાથે લગ્નમાં હાજરી આપી હતી.