મોડાસા તાલુકાના પહાડપુર ગામમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરમાંથી અને શિવજીના મંદિરમાંથી તસ્કરો રાત્રી સમયે માતાજીના અને શિવજીના સોના ચાંદીના આભૂષણો અને દાનપેટીમાંથી રોકડ રૂ.60,000 સહિત કુલ રૂપિયા 4,48,000ની મત્તાની ચોરી કરીને પલાયન થઈ જતા ચકચાર મચી છે
.
મોડાસાના પહાડપુર ગામમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરને રાત્રી સમયે તસ્કરોએ નિશાન મંદિરના દરવાજાનું તાળું તોડીને અંદર ગેરકાયદે પ્રવેશ કરીને મંદિરમાં રહેલા મહાકાળી માતાજીના સોના ચાંદીના આભૂષણો, મુગટ, શણગાર, છડા, સોનાની ચુની, ચાંદીના ગરબા, માતાજીની પાદુકા અને શિવજીના ચાંદીના મુખાવીંદની ચોરી કરી હતી. તસ્કરોએ મંદિરમાં રહેલી દાનપેટી તોડીને તેમાં રહેલી રોકડ ₹રૂ.60,000 સહિત કુલ રૂપિયા 4,48,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા ચકચાર મચી હતી.વહેલી સવારે ગ્રામજનોને મંદિરમાં ચોરી થયાની જાણ થતા ગામમાં અને મંદિર ટ્રસ્ટીઓમાં દોડધામ મચી ગઈ હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રૂપિયા 4.48 લાખની મત્તાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહાકાળી માતાના મંદિરમાંથી અને શિવજીના મંદિરમાં ચોરી કરી તસ્કરો ફરાર