- Gujarati News
- Business
- Global Capability Centers In The Country Will Create Employment For More Than 40 Percent People This Time
બેંગ્લુરુ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
- જીસીસીમાં એન્ટ્રી લેવલના કર્મચારીઓને પણ 30 ટકા વધુ પગારની ઑફર
ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ અને ઑટોમેશન જેવી માંગ વાળી સ્કિલ માટે એન્ટ્રી લેવલના કર્મચારીઓને ઇન્ડસ્ટ્રીની સરેરાશથી અંદાજે 30% વધી પગાર ઑફર કરી રહ્યા છે. ગત વર્ષની તુલનામાં જીસીસી દ્વારા આ વર્ષે 40% વધુ ફ્રેશર્સની ભરતી કરવામાં આવે તેવો અંદાજ છે.
હાયરિંગ પ્લેટફોર્મ ટીમલીઝ ડિજિટલના એક તાજેતરના રિપોર્ટ અનુસાર ડેટા એન્જિનિયરિંગ, પ્રોડક્ટ મેનેજમેન્ટ જેવા નિષ્ણાંતોની વધતી જરૂરિયાત અને મહત્વ વધવાથી મિડ અને સીનિયર મેનેજમેન્ટ પદોની માંગ આ વર્ષે 21%થી વધુ છે. આ પદો પર 11% સુધી વધુ પગાર મળી રહ્યો છે.
વિશ્વભરના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સમાંથી 17% ભારતમાં દેશમાં 1700થી વધુ જીસીસી છે. જે વિશ્વના અંદાજે 17% છે. તેમાં 19 લાખથી વધુ લોકો કામ કરી રહ્યા છે. તેમાં પણ 36% બેંગ્લુરુમાં છે. નાસકોમ-જિનોવ ઇન્ડિયા જીસીસી લેન્ડસ્કેપ રિપોર્ટ અનુસાર, 2030 સુધી દેશમાં જીસીસીની સંખ્યા 2,200 સુધી થઇ શકે છે. તેમાં કામ કરનારાની સંખ્યા પણ 25 થી 28 લાખ સુધી પહોંચશે. ભારતની આઇટી ઇન્ડસ્ટ્રીની આવકમાં જીસીસીનું યોગદાન 2023-24માં 5.43 લાખ કરોડ રૂપિયા હતું. જે 2030 સુધી 8.82 લાખ કરોડ સુધી પહોંચવાનું અનુમાન છે. વિદેશી જ નહીં, ભારતીયો કંપનીઓ પણ જીસીસી બનાવી રહી છે
ભારતમાં માત્ર વિદેશી કંપનીઓ જ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનું નિર્માણ કરી રહી નથી. પરંતુ સાથે જ મોટી ભારતીય કંપનીઓ પણ પોતાની ટેકનિકલ ક્ષમતાઓ વધારવા માટે આવી સુવિધા બનાવી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રુપ, ડૉ. રેડ્ડીઝ લેબ જેવી કંપનીઓએ પણ સેન્ટર્સ સ્થાપિત કર્યા છે.
અમેરિકન ટેક કન્સલટંટ ગાર્ટનરના એક સ્ટડી અનુસાર વર્ષ 2027 સુધી, 80% એન્જિનિયરો જો સમયની સાથે તેમની સ્કિલને વધારશે નહીં તો જોખમ વધી શકે છે. વિશેષ રીતે જનરેટિવ એઆઇ ટેક્નોલોજીના સંબંધમાં આ ખતરો વધુ છે.
ભારતીય કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષમાં ટેલિકૉમ, ફાઇનાન્સિયલ સર્વિસીઝ અને ઑટોમોટિવ જેવા સેક્ટરમાં અંદાજે 50 જીસીસી સ્થાપિત કરવામાં આવ્યા છે. જો કે કેટલીક કંપનીઓ પોતાની આ સુવિધાને ઔપચારિક રીતે જીસીસી કહેવાને બદલે ટેક સેન્ટર, ઇનોવેશનલ લેબ અથવા સેન્ટર્સ ઑફ એક્સેલેન્સ કહે છે. નાસકોમ-જિનોવ ઇન્ડિયા જીસીસી લેન્ડસ્કેપ રિપોર્ટ અનુસાર, 2030 સુધી દેશમાં જીસીસીની સંખ્યા 2,200 સુધી થઇ શકે છે. તેમાં કામ કરનારાની સંખ્યા પણ 25 થી 28 લાખ સુધી પહોંચશે. ભારતની આઇટી ઇન્ડસ્ટ્રીની આવકમાં જીસીસીનું યોગદાન વધ્યું છે.
2 વર્ષમાં 80% સોફ્ટવેર એન્જિનિયર્સ માટે અપસ્કિલિંગ જરૂરી અમેરિકન ટેક કન્સલટંટ ગાર્ટનરના એક સ્ટડી અનુસાર વર્ષ 2027 સુધી, 80% એન્જિનિયરો જો સમયની સાથે તેમની સ્કિલને વધારશે નહીં તો જોખમ વધી શકે છે. વિશેષ રીતે જનરેટિવ એઆઇ ટેક્નોલોજીના સંબંધમાં આ ખતરો વધુ છે.