2 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત અને કેનેડા તણાવ વચ્ચે વડાપ્રધાન ટ્રુડોની ખુરશી જોખમમાં મુકાઈ છે. તેમની પોતાની લિબરલ પાર્ટીના સાંસદોએ તેમના રાજીનામાની માગ કરી છે. સાંસદોએ તેમને રાજીનામું આપવા માટે 28 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. સીબીસી ન્યૂઝના અહેવાલ મુજબ લિબરલ સાંસદો પાર્લામેન્ટ હિલ પર એકઠા થયા હતા અને ટ્રુડોના રાજીનામાની માગણી કરી હતી. બંધ બારણે બેઠક યોજવામાં આવી હતી જેમાં અસંતુષ્ટ સાંસદોએ જસ્ટિન ટ્રુડો સમક્ષ તેમની ફરિયાદો વ્યક્ત કરી હતી, જેનાથી પક્ષની અંદર વધી રહેલો અસંતોષને ખુલ્લેઆમ જાહેર થયો હતો.
જસ્ટિન ટ્રુડોના રાજીનામાની માગ હાઉસ ઓફ કોમન્સના સત્ર દરમિયાન યોજાયેલી બેઠકમાં સાંસદોએ રાજીનામાની માગ ઉઠાવી હતી. બુધવારની મીટિંગમાં, અસંતુષ્ટ સાંસદોએ તેમની ચિંતાઓ સીધી પીએમ ટ્રુડો પાસે વ્યક્ત કરી. ટ્રુડો પોતાની પાર્ટીની અંદરથી જ વધી રહેલા દબાણનો સામનો કરી રહ્યા છે. અસંતુષ્ટ લિબરલ સાંસદોએ તેમને 28 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. બુધવારે કોકસની બેઠક દરમિયાન, ટ્રુડોના રાજીનામાના કેસની રૂપરેખા આપતો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હતો.
ભારત-કેનેડાના સંબંધોમાં ખટાશ પછી કેનેડાની રાજકીય પરિસ્થિતિ બદલાઈ છે.
જો બાઈડનનું ઉદાહરણ આપવામાં આવ્યું સીબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, રેડિયો-કેનેડા સાથે વાત કરનારા સૂત્રોનું કહેવું છે કે 24 સાંસદોએ ટ્રુડોને પદ છોડવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બુધવારે યોજાયેલી બેઠક દરમિયાન બ્રિટિશ કોલંબિયાના સાંસદ પેટ્રિક વ્હીલરે ટ્રુડોના રાજીનામાની તરફેણમાં દસ્તાવેજ રજૂ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો, ત્યારે ડેમોક્રેટ્સને લીડ મળતી દેખાઈ રહી હતી. દસ્તાવેજ કહે છે કે લિબરલ પાર્ટીના કિસ્સામાં પણ આવું જ થઈ શકે છે.
ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં સાંસદોને તેમના મંતવ્યો રજૂ કરવા માટે બે-બે મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા સાંસદોએ ટ્રુડોને આગામી ચૂંટણી પહેલા પદ છોડવાની અપીલ કરી હતી. ટ્રુડોના સમર્થનમાં ઘણા સાંસદો પણ ઉભા થયા હતા.
ભારત-કેનેડાના સંબંધોમાં ખટાશ પછી રાજકીય પરિસ્થિતિ બદલાઈ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી વિવાદ ચાલી રહ્યો છે. આ કારણે ભારતે કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા અને કેનેડાના રાજદ્વારીઓને પણ દેશ નિકાલ કર્યા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આક્ષેપ કર્યો હતા કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકો સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ભારતે આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી. જોકે ભારતે આ આરોપો સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.