લાજપોર
જેલમાંથી સિવિલના આંટાફેરા
શિરદર્દ
અને ચામડીની ઘણા સમયથી તકલીફ હોવાની ડોકટરને રહી રહીને ફરિયાદ કરી
સુરત,:
દુષ્કર્મમાં
સંડાવાયેલો નારાયણ સાંઇને વિવિધ તકલીફ થતા સચીનમાં સેન્ટ્રલ જેલથી આજે ગુરુવારે
સવારે પોલીસ કાફલા સાથે સારવાર માટે નવી સિવિલમાં લવાયો હતો.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ દુષ્કર્મના
ગુન્હામાં નારાયણ સાંઇને સજા થતા લાજપોર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો છે. ગત સપ્તાહમાં જ તેણે દાંતમાં
દુઃખાવાની ફરીયાદ કરતા સિવિલમાં લવાયો હતો. ત્યારે મસ્તીથી ટહેલતો જોવા મળ્યો હતો.
હવે આજે સવારે તેણે જેલના ડોકટરને ફરિયાદ કરી હતી કે, તેને ઘણા સમયથી
માથામાં દુઃખાવો અને ચામડીની તકલીફ છે.
જેથી જેલપોલીસના બંદોબસ્ત સાથે તેને આજે ફરી નવી સિવિલમાં લવાયો હતો. કિડની
બિલ્ડીંગમાં ન્યુરોફિઝીશીયન ડોકટર પાસે ચેકઅપ કરાયું હતું. બાદમાં તેને સિવિલની
જુની બિલ્ડીંગમાં ચામડી વિભાગની ઓ.પી.ડીમાં
લઇ જવાયો હતો. બંને વિભાગના
ડોકટરોએ જરુરી સારવાર આપ્યા બાદ પોલીસ તેનો
હાથ પકડીને જેલની વાનમાં બેસાડીને લઇ ગઇ હતી.