જામનગરમા પોષણ માસ 2024 અંતર્ગત આઈ.સી.ડી.એસ. ઘટક લાલપુર દ્વારા સિદ્ધનાથ મહાદેવ મંદિર હોલ ખાતે બાળ વિકાસ યોજના અધિકારી જ્યોત્સનાબા જાડેજાના માર્ગદર્શન અને નયારા એનર્જી દ્વારા સંચાલિત સેન્ટર ઓફ એક્સેલન્સ રાજકોટના આર્થિક સહયોગ દ્વારા સગર્ભા તથા ધાત્રી મા
.
કાર્યક્રમ અંતર્ગત બાળકના સારા ઉછેર માટે માતાપિતાની ભૂમિકા કેવી હોવી જોઈએ, સ્તનપાન અને ઉપરી આહારનું શું મહત્વ છે, બાળક તથા માતા માટે એક હજાર દિવસની કાળજી વગેરે વિશે સિડીપીઓ લાલપુર દ્વારા વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી.
સગર્ભાવસ્થાની જાણ થતાં તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં રજીસ્ટ્રેશન કરાવવા, આયુર્વેદના લાભ, જીવન પદ્ધતિ, સગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય આહાર વિહાર અને બાળકોની સારી ટેવો માટે માતા-પિતાએ લેવાની થતી કાળજી વગેરે વિશે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પી.ડી.પરમાર તથા ડૉ.ભાવેશભાઈ બેરા દ્વારા સમજ આપવામાં આવી હતી.
બ્રહ્મા કુમારી બિન્દુબેન, રિઝયોનલ કો-ઓર્ડીનેટર હિમાની ત્રિવેદી તથા સ્થાનિક આગેવાન અરશીભાઈ કરંગીયા દ્વારા બાળકોના શારીરિક માનસિક વિકાસ પર પોતાના વિચારોની અસર, માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસની વાત તથા સરકારના સાતમા પોષણ અભિયાન અને “પોષણ ભી પઢાઈ ભી” મીશનના મહત્વ વિશે ઉપસ્થિત સૌ કોઈને માહિતી આપવામાં આવેલ.કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહેલ દંપત્તિઓ માટે કવીઝ કોમ્પીટીશન અને એક મિનિટ ગેમનું આયોજન કરવામાં આવેલ જેમાં વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવેલ.પીએ ન્યુટ્રીશન જામનગર, આંગણવાડી કાર્યકરો તથા લાલપુર આઇસીડીએસ ટીમ દ્વારા વિવિધ સ્ટોલ નિદર્શન અને સેલ્ફી પોઇન્ટનું પણ આયોજન કરવામાં આવેલ.કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સગર્ભા તથા ધાત્રી માતાઓ તેમજ અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.