મુંબઇ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
- માર્કેટમાં આવી રહેલા કરેક્શન સમયે રોકાણ માટેના યોગ્ય સમયની રાહ જુઓ છો?
1986માં સામાન્ય શરૂઆત કરવાથી માંડીને ભારતીય બજારની સફર ખરેખર અદ્ભુત રહી છે. 2006માં 10,000ના આંકડે પહોંચવા માટે સેન્સેક્સને બે દાયકાથી વધુનો સમય લાગ્યો હતો અને 2007માં તે બમણો થઈ ગયો હતો. ડિસેમ્બર 2007માં એસએન્ડપી બીએસઈ સેન્સેક્સે 20,000નો આંકડો વટાવ્યો હતો. રોકાણકારો આ સિદ્ધિનો હર્ષ મનાવી રહ્યા હતા ત્યારે ઊજવણીમાં ભંગ પડ્યો. વૈશ્વિક નાણાંકીય મંદીના વમળોએ આખી દુનિયાને ધમરોળી નાખ્યા અને 2008-10ના સમયગાળા દરમિયાન સેન્સેક્સ 61 ટકા તૂટી ગયો. મેક્સિમમ ડ્રોડાઉન એ કોઈ એક ચોક્કસ સમયગાળામાં કોઈ રોકાણનું મૂલ્ય તેની સર્વોચ્ચ ઊંચી સપાટીથી ઘટીને તેની સૌથી નીચી સપાટીએ પહોંચે તેનું માપ છે. તે દર્શાવે છે કે જો તમે સર્વોચ્ચ ઊંચી સપાટીએ ખરીદી કરી હોય અને સૌથી નીચા સ્તરે વેચાણ કર્યું હોય તો તમને આટલું મોટું નુકસાન થયું હોત તેમ પીજીઆઇએમ ઇન્ડિયા મ્યુચ્ચુઅલ ફંડના સીઇઓ અજીત મેનને જણાવ્યું હતું.
જાન્યુઆરી 2006થી સપ્ટેમ્બર 2024 સુધીના ડેટા જોયા અને સેન્સેક્સમાં ચૂકી જવાયેલા શ્રેષ્ઠ દિવસો વિરુદ્ધ આ સમગ્ર સમયગાળા માટે રોકાણ યથાવત રાખવાની અસર પર નજર કરી. આ વર્તણૂકના પડકારમાંથી બહાર આવવાનો એક શ્રેષ્ઠ માર્ગ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી રોકાણ કરવાનો છે જેથી તમે એ સારા દિવસો ચૂકી ન જાવ. મોટાભાગના રોકાણકારો માટે રોકાણ કરવા માટેનો આ તબક્કાવારનો અભિગમ બજારની તકનો લાભ લેવાના સમીકરણો પૂરા પાડે છે.
તાજેતરના ભૂતકાળમાં ટકાઉ સ્થાનિક ઇનફ્લોના લીધે ડ્રોડાઉનથી રિકવરી માટે લાગેલા દિવસો ઘટી રહ્યા છે અને રોકાણકારો આ રેલીમાં ચૂકી ગયેલા સાઇડલાઇન રિસ્કની રાહ જોઈ રહ્યા છે. બજારની હિલચાલની આગાહી કરવી મુશ્કેલ છે પરંતુ પાછળથી એવું અનુમાન કરવું યોગ્ય છે કે મંદી કે બજારના કરેક્શનના સમયે રોકાણ કરવાથી આ અસ્થિરતામાંથી આગળ વધવાની ધીરજ અને ખાતરી હોય તેવા રોકાણકારોને વાજબી વધારો મળી શકે છે. આમ, ટકી રહેવું એ શ્રેષ્ઠ અભિગમ છે.
રોકાણકારોએ આ પરિબળોના આધારે નિર્ણયો લેવા યોગ્ય રહેશે લક્ષ્યાંક આધારિત રોકાણનો અભિગમ અનુસરવાથી રોકાણ સફર પર કેન્દ્રિત રહી શકો છો, પછી ભલે બજારમાં ગમે તે ચાલી રહ્યું હોય. જો તમારી વર્તમાન એસેટ એલોકેશન તેના મૂળ લક્ષ્યાંકથી હટી ગયું હોય તો એક્સપોઝરને ફરીથી તમારી ઇચ્છિત એસેટ એલોકેશન તરફ વાળવું યોગ્ય રહેશે. પોર્ટફોલિયોને ફરીથી ગોઠવવાનો બીજો સમય છે જ્યારે તમે લક્ષ્યાંકની નજીક હોવ. લક્ષ્યાંકની નજીક પહોંચવા વિચારો.
સાચો સમય આ જ છે રોકાણમાં ઝાડ રોપવાનો શ્રેષ્ઠ સમય 20 વર્ષ પહેલાનો હતો. બીજો શ્રેષ્ઠ સમય અત્યારનો છે”, એવી જૂની કહેવત છે. જો તમે કદી ઇક્વિટીઝમાં રોકાણ ન કર્યું હોય અને બજારો ઘટે ત્યારે પ્રવેશવાની તકની રાહ જોઈ રહ્યા હોવ તો તમે કાયમ રાહ જ જોતા રહેશો. શરૂઆત ક્યારે કરવી તેના વિશે વિચારતા રહેવાના બદલે અનુકરણ કરો.