2 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી નિતેશ તિવારીની ‘રામાયણ’માં માતા સીતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ ફિલ્મની અભિનેત્રીનો ફર્સ્ટ લૂક ઓનલાઈન લીક થયો હતો અને ચાહકો પણ ઉત્સાહિત થઈ ગયા હતા. જોકે, હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહી છે કે ‘પાકિસ્તાની લોકો ભારતીય સેનાને આતંકવાદી જૂથ કહે છે.’
સાઈ પલ્લવીની વાઇરલ ક્લિપ જાન્યુઆરી 2022માં થયેલા એક ઈન્ટરવ્યુની છે. વીડિયોમાં તે કહેતા સાંભળી શકાય છે કે, ‘પાકિસ્તાનના લોકો માને છે કે ભારતોય સેના આતંકવાદી જૂથ છે. હું આ હિંસા સમજી શકતી નથી. આ નિવેદનથી ચાહકો નારાજ થયા છે અને હવે અભિનેત્રીને આ માટે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ નિવેદનના કારણે ફસાઈ સાઈ પલ્લવી વીડિયો સામે આવતાની સાથે જ નેટીઝન્સે સાઈ પલ્લવીની આવી કમેન્ટ માટે ટીકા કરી હતી. એક X યુઝરે પૂછ્યું- શું ભારતે ક્યારેય અન્ય દેશોના પ્રદેશ પર આક્રમણ કર્યું છે, જેને આતંકવાદી ગણવામાં આવે? શું ભારતને હંમેશા પાકિસ્તાન અને ચીનથી પોતાના પ્રદેશોની રક્ષા કરવાનો માર સહન કરવો પડતો નથી? તો પછી ભારતીય સૈનિકોને આતંકવાદી કેમ ગણવામાં આવશે?
સાઈ પલ્લવી પર ભારતીયો નારાજ એક યુઝરે ટ્વીટ કર્યું – તે સૌથી કટ્ટરપંથી વ્યક્તિઓમાંથી એક છે, તેને એ વાતની કોઈ સમજ નથી કે ભારતીય સેના આપણા દેશની સુરક્ષા માટે છે અને સરહદ પારના નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડવા માટે નથી. જો તમારામાં હિંમત હોય તો આનો જવાબ આપો – શું તમે એક પણ ઉદાહરણ કહી શકો છો કે જ્યાં ભારતીય સેનાના કારણે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા?
લોકો ટીકા કરી રહ્યા છે એક યુઝરે લખ્યું – આ ખૂબ જ દુઃખદ છે કે આ કોમ્યુનિસ્ટ સાઈ પલ્લવી રામાયણમાં સીતા માનું પાત્ર ભજવી રહી છે. તે કહે છે કે પાકિસ્તાનના લોકો ભારતીય સેનાને આતંકવાદી તરીકે જુએ છે. અગાઉ તેણે ગાયના રક્ષકોની સરખામણી ઓસામા સાથે કરી હતી.
સાઇ પલ્લવીનું વર્કફ્રન્ટ વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, સાઈ પલ્લવી નિતેશ તિવારીની ‘રામાયણ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તે સીતાનું પાત્ર ભજવતી જોવા મળશે. KGF સ્ટાર યશ રાવણનું પાત્ર ભજવશે અને અહેવાલોનું માનીએ તો સની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકા ભજવશે.