ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામ ખાતે કંકુ થાંભલા પ્રાથમિક શાળામાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ, લો કોલેજ, ગોધરા, શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા તેમજ સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના સહયોગથી ખેડૂતો માટેના ખાસ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે
.
પ્રોગ્રામની શરૂઆત પ્રાર્થનાથી શાળાના શિક્ષિકા બહેન કિન્નરીબેન સોનીએ કરી હતી. ગુજરાત વિદ્યાપીઠના પ્રોજેક્ટ ઇન્ચાર્જ ડો દિવ્યેશભાઈ ભટ્ટ ખાસ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવી આધુનિક ખેતી છોડી અને પ્રાકૃતિક તેમજ ગાય આધારિત ખેતી કરવા આહવાન કર્યું હતું. શાળાના નવ નિયુક્ત આચાર્ય કિરણભાઈ બારીયાએ સૌને આવકાર્યા હતા. લોકોલેજ ગોધરાના એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. સતીશ નાગરે સૌનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન સાયન્સ કોલેજ ગોધરાના ડો. રૂપેશ.એન.નાકરે કર્યું હતું.
ગામના ડેપ્યુટી સરપંચ સુનિલ ગણાવાએ ગામ વતીથી સૌનો આભાર માન્યો હતો. બધી કોલેજો વતિ આભાર ઇતિહાસ વિભાગના ડો ગૌતમભાઈ ચૌહાણ માન્યો હતો. કોમર્સ કોલેજ ગોધરાના આચાર્ય ડો. અરુણસિંહ સોલંકીએ સુંદર કાર્ય માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં વધી રહેલું કેન્સરનું પ્રમાણ હાર્ટ એટેકનું પ્રમાણ અને અન્ય રોગોએ જંતુનાશક દવાઓની દેન છે. આ બધાથી દૂર રહેવા માટે આપણે પ્રાકૃતિક ખેતી જ અપનાવી પડશે આવો સંદેશ એનએસએસના સ્વયંસેવકોએ સૌને આપ્યો હતો.