9 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ C-295 ટેક્ટિકલ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે જે વડોદરાની ટાટા કંપનીમાં બનાવવામાં આવશે.
PM નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ કોમ્પ્લેક્સમાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવામાં આવશે. સ્પેન અને ભારત વચ્ચે 56 એરક્રાફ્ટ બનાવવા માટે કરાર કરવામાં આવ્યો છે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં બનાવવામાં આવશે. બાકીના 40 ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) દ્વારા બનાવવામાં આવશે. દેશમાં પ્રથમ વખત પ્રાઈવેટ કંપની સેના માટે વિમાન બનાવશે.
આ કોમ્પ્લેક્સ દેશની પ્રથમ ખાનગી ફાઇલન એસેમ્બલી લાઇન છે. જે મિલિટરી એરક્રાફ્ટ બનાવશે. ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં C295 ઓછા વજનના પરિવહનમાં મદદ કરશે.
દેશમાં પ્રથમ વખત પ્રાઈવેટ કંપની સેના માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવશે.
73 સૈનિકો અથવા 48 પેરાટ્રૂપર્સ સાથે ઉડાન ભરી શકે છે
બે પાયલટ દ્વારા C-295 એરક્રાફ્ટ ઉડે છે. આમાં 73 સૈનિકો અથવા 48 પેરાટ્રૂપર્સ અથવા 12 સ્ટ્રેચર ઇન્ટેન્સિવ કેર મેડેવેક અથવા 27 સ્ટ્રેચર મેડેવેક સાથે 4 મેડિકલ એટેન્ડન્ટ મુસાફરી કરી શકશે. તે એક સમયે મહત્તમ 9250 કિલો વજન લઈ જઈ શકે છે. તેની લંબાઈ 80.3 ફૂટ, પાંખો 84.8 ફૂટ અને ઊંચાઈ 28.5 ફૂટ છે.
482 કિમી પ્રતિ કલાકની ઝડપે 4587 કિમી સુધી જઈ શકે છે
આ એરક્રાફ્ટ 7650 લીટર ફ્યુઅલ સાથે આવે છે. તે મહત્તમ 482 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેની રેન્જ 1277 થી 4587 કિમી છે. તે તેમાં લોડ થયેલ વજન પર આધાર રાખે છે. પરંતુ ફેરી રેન્જ 5 હજાર કિ.મી.છે 13,533 ફૂટની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે.
લેન્ડિંગ માટે ટૂંકો રનવે, હથિયારો પણ લગાવી શકાય છે
ટેક ઓફ કરવા માટે 844 મીટરથી 934 મીટર લંબાઇના રનવેની જરૂર પડે છે. લેન્ડિંગ માટે માત્ર એક મીટરનો રનવે જરૂરી છે. તેમાં છ હાર્ડપોઈન્ટ છે. એટલે કે, શસ્ત્રો અને સંરક્ષણ પ્રણાલી લગાવવવાની જગ્યા. બંને પાંખો નીચે દરેક ત્રણ-ત્રણ. અથવા ઇનબોર્ડ પાઈલોન્સ હોઈ શકે છે. જેમાં 800 કિલોના હથિયારો રાખી શકાય છે.
હૈદરાબાદ બાદ વડોદરા સેન્ટર પ્લેનને આખરી ઓપ આપશે
ટાટાએ ગયા વર્ષે નવેમ્બરથી 40 C295 એરક્રાફ્ટ માટે મેટલ કટીંગનું કામ શરૂ કર્યું છે. હૈદરાબાદ હાલમાં તેની મુખ્ય કોન્સ્ટીટ્યુંટ એસેમ્બલી છે. ઘણા પાર્ટ્સ ત્યાં બનાવવામાં આવશે. ટાટાની હૈદરાબાદ સુવિધા એરક્રાફ્ટના મોટા ભાગોનું નિર્માણ કરશે. આ પછી તેને વડોદરા મોકલવામાં આવશે.
તમામ C-295 એરક્રાફ્ટ વડોદરામાં ફાઇનલ કરવામાં આવશે. જેમાં એન્જિન લગાવવામાં આવશે. ઈલેક્ટ્રોનિક્સ સેટ ગોઠવવામાં આવશે. આ પછી તેને એરફોર્સને આપવામાં આવશે. 32 નંબરનું એરક્રાફ્ટ સ્વદેશી હશે. હાલમાં 2 ડઝનથી વધુ દેશો આ વિમાનનો ઉપયોગ કરી રહ્યા છે.
ભારત માટે આ વિમાનો શા માટે મહત્વપૂર્ણ છે?
ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી સૈનિકો, હથિયારો, ઈંધણ અને હાર્ડવેરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. આમાં C295 ઓછા વજનના પરિવહનમાં મદદ કરશે. C295 એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના જૂના HS748 એવરોસ એરક્રાફ્ટનું સ્થાન લેશે. આ સિવાય યુક્રેનથી આવેલા એન્ટોનોવ AN-32ને બદલવામાં આવશે.