8 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીએમ મોદી 2-3 જાન્યુઆરીએ લક્ષદ્વીપમાં હતા. તેમણે અહીંની તસવીરો શેર કરી અને કહ્યું- પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત લક્ષદ્વીપની શાંતિ પણ મનમોહક છે. આ પછી માલદીવના લોકોએ ભારતીયોની મજાક ઉડાવવા લાગ્યા. આના વિરોધમાં ભારતમાં #BoycottMaldives વાયરલ થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ટ્રેન્ડ કરી રહી છે. માલદીવને આ પસંદ નથી આવી રહ્યું કારણ કે લક્ષદ્વીપ સુંદરતાના મામલામાં માલદીવને ટક્કર આપી રહ્યું છે. આ દરમિયાન ત્યાંના એક મંત્રીએ ભારત અને પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી છે.
ખરેખરમાં પીએમ મોદીએ લક્ષદ્વીપની તેમની મુલાકાતનો એક વીડિયો શેર કર્યો હતો. આ પછી લોકો સોશિયલ મીડિયા પર કહેવા લાગ્યા કે માલદીવ જવા માટે લાખો રૂપિયા ખર્ચવા કરતાં લક્ષદ્વીપ જવું સારું છે. આનાથી નારાજ માલદીવની સત્તારૂઢ પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (PPM)ના મંત્રી મરિયમ શિઉના અને નેતા ઝાહિદ રમીઝે ભારતીયોની મજાક ઉડાવી હતી.
PMએ લક્ષદ્વીપ મુલાકાતની તસવીરો શેર કરી હતી. આ તસવીરની સાથે લખવામાં આવ્યું હતું કે- જે લોકો પોતાની સાહસને દાખવવા માંગે છે.લક્ષદ્વીપ ચોક્કસપણે એવા લોકોની યાદીમાં હોવું જોઈએ
માલદીવના મંત્રીએ પીએમ મોદી માટે વાંધાજનક શબ્દો કહ્યા
મંત્રી મરિયમ શિયુનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરતી વખતે પીએમ મોદી માટે વાંધાજનક શબ્દો કહ્યા હતા. તેમજ, નેતા ઝાહિદ રમીઝે લખ્યું કે ભારત સેવાના મામલામાં અમારી સાથે સ્પર્ધા કરી શકે નહીં. મરિયમ યુછ એમ્પાવરમેન્ટ, ઈન્ફોર્મેશન એન્ડ આર્ટના ડેપ્યુટી મંત્રી છે.
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે તેમના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું- મંત્રી મરિયમ શિઉનાએ ખોટા શબ્દો કહ્યા છે. તેનાથી માલદીવની સુરક્ષા અને સમૃદ્ધિ જોખમાઈ શકે છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની સરકારે આવી ટિપ્પણીઓથી પોતે દૂર રહેવું જોઈએ.
માલદીવના નેતાએ લખ્યું- ત્યાં સ્વચ્છતા નથી, રૂમમાંથી દુર્ગંધ આવે છે
PM મોદીનો લક્ષદ્વીપનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી વખતે એક યુઝરે લખ્યું- શાનદાર પગલું! ચીનની કઠપૂતળી ગણાતી માલદીવની નવી સરકાર માટે આ મોટો ઝટકો છે. આ મુલાકાત બાદ લક્ષદ્વીપમાં પ્રવાસનને પણ વેગ મળશે.
આના જવાબમાં પીપીએમ લીડર ઝાહિદ રમીઝે લખ્યું- આ એક સારું પગલું છે. પરંતુ ભારત ક્યારેય અમારી બરાબરી નહીં કરી શકે. માલદીવ પ્રવાસીઓને જે સેવા આપે છે તે ભારત કેવી રીતે આપી શકે? તેઓ આપણા જેટલી સ્વચ્છતા કેવી રીતે જાળવી શકશે? તેમના રૂમમાંથી આવતી દુર્ગંધ તેમના અને પ્રવાસીઓ માટે સૌથી મોટી સમસ્યા હશે.
સોશિયલ મીડિયા પર માલદીવનો વિરોધ વધ્યો
નેતા ઝાહિદ રમીઝના આ ટ્વિટ પછી સોશિયલ મીડિયા પર ભારતીયો અને માલદીવના નાગરિકો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. ભારતના લોકોનો ગુસ્સો એટલો વધી ગયો કે દેશમાં #BoycottMaldives અભિયાન શરૂ કરવામાં આવ્યું. લોકો માલદીવનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત ચોક્કસપણે માલદીવના પ્રવાસનને મોટો ઝટકો આપશે.
ભારતીયો દ્વારા કરવામાં આવતી ટ્વિટ પર એક નજર…
લોકોએ માલદીવનો પ્રવાસ રદ કરી દીધો છે
માલદીવમાં રજાઓ ગાળવા માટે ભારતીયો લાખો રૂપિયા ખર્ચે છે. આનાથી ત્યાં અર્થતંત્ર ચાલતું રહે છે. લોકોને રોજગારી મળે છે. આમ છતાં માલદીવના લોકો ભારત વિરુદ્ધ વાત કરી રહ્યા છે અને ભારતીયોની મજાક ઉડાવી રહ્યા છે. તેના જવાબમાં, ઘણા ભારતીયોએ માલદીવમાં પોતાનો પ્રવાસ રદ કરી દીધો છે.
એક ભારતીયે વિરોધમાં માલદીવ જવાની પોતાનો પ્લાન રદ કર્યો હતો. તેણે માલદીવની કેન્સલ થયેલી ટિકિટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
રાષ્ટ્રપતિ મોઇજ્જુએ ‘ઇન્ડિયા આઉટ’નો નારો આપ્યો હતો
નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુએ સત્તા સંભાળ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. રાષ્ટ્રપતિ મોઈજ્જુને ચીન સમર્થક માનવામાં આવે છે. તેઓ ભારતીય સૈનિકોને તેમના દેશમાંથી હાંકી કાઢવા તૈયાર છે. તેમણે માલદીવમાં ભારતીય સેનાની કથિત હાજરી સામે ‘ઈન્ડિયા આઉટ’ નો નારો આપ્યો હતો અને તેને લઈને અનેક વિરોધ પ્રદર્શનો પણ થયા હતા. આ અભિયાન એ વાત પર આધારિત હતું કે ભારતીય સૈનિકોની હાજરી માલદીવની સાર્વભૌમત્વ માટે ખતરો છે.