20 મિનિટ પેહલા
- કૉપી લિંક
યુવા અભિનેત્રી નયનતારાની ફિલ્મ ‘અન્નાપૂર્ણી’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે, જો કે, આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના એક દ્રશ્યમાં ભગવાન શ્રી રામને માંસાહારી ગણાવવામાં આવ્યા હતા, જેના કારણે ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિવસેનાના ભૂતપૂર્વ નેતા રમેશ સોલંકીએ 6 જાન્યુઆરીએ મુંબઈમાં ‘અન્નાપૂર્ણી’ ફિલ્મના નિર્માતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો કે નિર્માતાઓએ ભગવાન શ્રી રામનું અપમાન કરીને હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
ફરિયાદ સિવાય રમેશ સોલંકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર પણ ફિલ્મની આકરી ટીકા કરી છે. તેણે લખ્યું છે કે, ‘મેં એન્ટી હિન્દુ વિરોધી અને એન્ટી હિન્દુ નેટફ્લિક્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એવા સમયે જ્યારે સમગ્ર વિશ્વ ભગવાન શ્રીરામ મંદિરના અભિષેકની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ હિંદુ વિરોધી ફિલ્મ ‘અન્નાપૂર્ણી’ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. જેનું નિર્માણ ‘ઝી સ્ટુડિયો’, ‘નાદ સ્ટુડિયો’ અને ‘ત્રિદેન્ત’ આર્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે.
વધુમાં, તેણે ફિલ્મના કેટલાક વિવાદાસ્પદ દ્રશ્યોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું, ‘એક હિન્દુ પૂજારીની દીકરી બિરયાની બનાવતા પહેલા નમાઝ અદા કરે છે. ફિલ્મમાં લવ જેહાદને પ્રમોટ કરવામાં આવી છે. ફરહાન અભિનેત્રીને માંસ ખવડાવતા કહે છે કે ભગવાન શ્રી રામ પણ માંસાહારી હતા. તેણે આગળ કહ્યું, ‘નેટફ્લિક્સ અને ઝી સ્ટુડિયોએ જાણીજોઈને હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે આ ફિલ્મ બનાવી છે. હું મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર એચએમઓને વિનંતી કરું છું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી આ ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો.
‘અન્નાપૂર્ણી’ ફિલ્મ 1 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થઈ હતી, જે હવે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં છે. આ ફિલ્મમાં, તેણે મંદિરના પૂજારીની પુત્રી અન્નાપૂર્ણીની ભૂમિકા ભજવી હતી, જે રસોઇયા બનવાના તેના સપનાને પૂર્ણ કરવા માટે નોન-વેજ રાંધે છે.