- Gujarati News
- Business
- 24 hour Opening Of Retail Market Increases Spending By 60%, 7 States Of The Country Allow It
નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
- ટેક્સ તરીકે સરકારની કમાણીમાં વધારો થયો, અન્ય રાજ્યોની આ મૉડલ અપનાવવા વિચારણા
રિટેલ માર્કેટ 24 કલાક ખુલ્લું રાખવાની વપરાશ પર સીધી અસર જોવા મળી રહી છે. તેને કારણે લોકો રાતના શૉપિંગ પર 60% વધુ ખર્ચ કરી રહ્યા છે. તે ઉપરાંત ખરીદી પણ અંદાજે 30% વધી જાય છે. દેશમાં અત્યાર સુધી સાત રાજ્યોમાં રિટેલ માર્કેટ 24 કલાક ખુલ્લુ રાખવાની અનુમતિ આપવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, હરિયાણા અને નવી દિલ્હી સામેલ છે. મધ્યપ્રદેશના ભોપાલમાં તેની અનુમતિ આપવાની વાતચીત ચાલી રહી છે. તેને કારણે વપરાશ એ માટે જ વધે છે કારણ કે લોકોને રોજનું કામ પૂર્ણ કર્યા બાદ શૉપિંગ કરવા માટે વધારાનો સમય મળે છે.
ચેકઆઉટ પ્લેટફોર્મ સિંપલના ચેકઆઉટ સ્કેન રિપોર્ટ અનુસાર, રાત્રે 10 વાગ્યાથી લઇને સવારે 4 વાગ્યા વચ્ચે કરવામાં આવેલી શૉપિંગ માટે કુલ પેમેન્ટ એક વર્ષમાં 60% વધ્યું છે. ક્વિક-કોમર્સ, ફુડ-બેવરેજ અને મોબિલિટી જેવા સેગમેન્ટમાં આ વૃદ્ધિ સૌથી વધુ જોવા મળી છે. જે રાજ્યોમાં મોડી રાત સુધી શોપિંગની છૂટ છે, ત્યાંના નાના શહેરોમાં આ ટ્રેન્ડ તેજીથી વધી રહ્યો છે.
મોડી રાત્રે ખરીદી કરવામાં યુવાઓની ભાગીદારી સૌથી વધુ જોવા મળી હતી. લગભગ બે તૃતીયાંશ લેટ નાઇટ શોપર્સ મિલેનિયલ્સ (28-43 વર્ષ) અને જેન જી(14-34 વર્ષ) છે. તેમાં અડધાથી વધુ હિસ્સો મહિલાઓનો છે. રિપોર્ટ અનુસાર દેશમાં ઇન-હાઉસ પાર્ટી આપવાનું ચલણ વધી રહ્યું છે. તેનાથી લેટનાઇટ રિટેલ સેગમેન્ટને વેગ મળી રહ્યો છે. ખાસ કરીને વીકેન્ડ આ ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં મોડી રાત્રે થતી ખરીદી અંદાજે 30% વધી છે. તે ઉપરાંત સરેરાશ ઓર્ડર મૂલ્યમાં પણ લગભગ 10%નો વધારો જોવા મળ્યો છે. તેનો અર્થ એ છે કે લોકો રાત્રે વધુ ખરીદીની સાથે સાથે દરેક ખરીદી પર વધુ ખર્ચ પણ કરી રહ્યા છે. તેનાથી ટેક્સ તરીકે સરકારની કમાણી પણ વધી રહી છે. તેને ધ્યાનમાં રાખતા અન્ય રાજ્ય પણ આ મૉડલ અપનાવવાનું વિચારી રહ્યું છે, જેમાં મધ્યપ્રદેશ પણ સામેલ છે.
આ ટ્રેન્ડ ગ્રાહકોના બદલાતા વર્તનને જ દર્શાવતો નથી પરંતુ સાથે જ 24 કલાકની ઇકોનોમીની માંગ સાથે અનુકૂલન સાધવા તત્પર હોય તેવા બિઝનેસ માટે પણ મજબૂત આર્થિક તક તરીકે ઉભર્યો છે. દેશના મોટા ભાગના રાજ્યો હવે આ મોડલ અપનાવવા માટે આતુર હોવાથી દેશના રિટેલ સેગમેન્ટમાં ક્રાંતિ આવશે, જે સમગ્ર રાત્રી દરમિયાન ખુલ્લું રહેશે.
બિઝનેસ વધવાથી રોજગારીની નવી તકોનું સર્જન
સિંપલના સહ-સંસ્થાપક અને સીઇઓ નિત્યા શર્મા અનુસાર, અનેક રાજ્ય સરકારો દ્વારા દુકાનો તેમજ શૉપિંગ સેન્ટર્સ 24 કલાક ખુલ્લા રાખવાની અનુમતિ આપવાના નિર્ણયથી ગ્રાહકો માટેની સુવિધામાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ વેપારીઓના બિઝનેસમાં પણ વૃદ્ધિ નોંધાઇ છે. બિઝનેસ 24 કલાક ચાલુ રાખવા માટે તેમને નવા કર્મચારીઓની ભરતી કરવાની જરૂરિયાત વર્તાઇ રહી છે. તેનો અર્થ છે કે રોજગારીની નવી તકોનું પણ સર્જન થઇ રહ્યું છે.