મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ સહિત 6 ગ્રુપ કંપનીઓને કારણ બતાવો નોટિસ મોકલી છે. આ કંપનીઓ પર ટ્રાન્ઝેક્શન અને લિસ્ટિંગ રેગ્યુલેશન નિયમોના કથિત ઉલ્લંઘનનો આરોપ છે.
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ), અદાણી એનર્જી, અદાણી પાવર, અદાણી વિલ્મર અને અદાણી ટોટલ ગેસે તેમના સંબંધિત એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે.
અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે તેને 31 માર્ચે પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન બે કારણદર્શક નોટિસો મળી છે. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કર્યા બાદ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે.
સેબી આ મામલે તપાસ કરી રહી છે
24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચએ અદાણી જૂથ સામે મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો મૂક્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી હતી. આ સિવાય માર્કેટ રેગ્યુલેટર સેબીને પણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
સેબીની તપાસમાં અત્યાર સુધી શું થયું?
- 2 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે એક સમિતિની રચના કરી હતી અને સેબીને તપાસ માટે બે મહિનાનો સમય પણ આપ્યો હતો.
- સેબીએ તેનો રિપોર્ટ 2 મે સુધીમાં સોંપવાનો હતો, પરંતુ સુનાવણી દરમિયાન સેબીએ તપાસ માટે 6 મહિનાનો સમય માંગ્યો હતો.
- બેન્ચે તેને ઓગસ્ટ સુધી લંબાવી હતી. એટલે કે સેબીને તેની તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે કુલ 5 મહિનાનો સમય મળ્યો.
- 14 ઓગસ્ટે સેબીએ તેની તપાસ પૂર્ણ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ 15 દિવસનો સમય માંગ્યો હતો.
- 25 ઓગસ્ટે સેબીએ સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. જણાવ્યું કે 22 તપાસને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને 2 અધૂરી છે.
- 24 નવેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે હિંડનબર્ગના અહેવાલને સાચો માનવાની જરૂર નથી.
- 3 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે સેબીને બાકીના 2 કેસની તપાસ માટે વધુ 3 મહિનાનો સમય આપ્યો હતો. સેબીએ 24માંથી 22 કેસમાં તપાસ પૂર્ણ કરી છે.