નવી દિલ્હી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમ પરથી GST હટાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ (સારવાર, અકસ્માતો) પર ટેક્સ લગાવવા સમાન છે.
ઈન્સ્યોરન્સ સેક્ટરના ગ્રોથ પર તેની અસર કરશે. નાગપુર ડિવિઝન લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આપવામાં આવેલા મેમોરેન્ડમ બાદ સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટે નાણા મંત્રીને આ વિનંતી કરી છે.
વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા સમાન છે
28 જુલાઇના તેમના પત્રમાં ગડકરીએ કહ્યું – નાગપુર ડિવિઝન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયને વીમા ઉદ્યોગ સાથે સંબંધિત મુદ્દા અંગે મને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે અને તેને તમારી સામે ઉઠાવવા વિનંતી કરી છે. યુનિયનનો મુદ્દો જીવન અને તબીબી વીમા પ્રિમીયમમાંથી GST પાછો ખેંચી લેવાનો છે, જે બંનેમાં 18% GST લાગે છે.
જીવન વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા સમાન છે. યુનિયનનું માનવું છે કે વ્યક્તિ જીવનની અનિશ્ચિતતાના જોખમોને આવરી લેવા માટે વીમો ખરીદે છે, તેથી તેના પર ટેક્સ લગાવવો જોઈએ નહીં.
