31 મિનિટ પેહલા
- કૉપી લિંક
સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા’ની નવી સીઝન શરૂ થઈ ગઈ છે. સંગીતકાર-ગાયક જોડી સચેત અને પરંપરા આ શોમાં મેન્ટર તરીકે જોડાયા છે. હાલમાં જ બંનેએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન પોતાના અનુભવો શેર કર્યા હતા.
‘સા રે ગા મા પા’ નો ભાગ બનવાથી તમને કેવા પ્રકારની પ્રેરણા મળી છે? પરંપરા: હું આ શોનો ભાગ બનવા માટે ખૂબ જ ખુશ અને પ્રેરિત અનુભવું છું. તે માત્ર અમારા માટે જ નહીં પરંતુ તમામ કન્ટેસ્ટન્ટ માટે પણ એક ગ્રેટ અનુભવ છે. ‘સા રે ગા મા પા’ એક ખાસ શો છે, જે સંગીતના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. મેં તેને બાળપણથી જ જોયુ છે અને હંમેશા તેનો ભાગ બનવા માંગતી હતી. જ્યારે અમને આ શો કરવાની તક મળી છે, ત્યારે તે અમારા માટે સુવર્ણ તક છે. આ અમારા માટે એક વળાંક છે, જ્યાં અમે અમારા સપનાને સાકાર કરવાની દિશામાં વધુ એક પગલું ભરી રહ્યા છીએ.
રિયાલિટી શો પ્રતિભાઓ માટે કેટલું મહત્વ ધરાવે છે? સચેત: રિયલિટી શો ટેલેન્ટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે કન્ટેસ્ટન્ટ શોમાં આવે છે, ત્યારે તેઓ માત્ર તેમના ગીતો જ ગાતા નથી પરંતુ તેમના ટેલેન્ટને નિખારવાની અને સુધારવાની તક પણ મળે છે. દરરોજ તેઓ તેમના કૌશલ્યો શીખવાની અને વધારવાની અમૂલ્ય તક મેળવે છે. આ સમય દરમિયાન તેમને જે પણ પ્રતિસાદ મળે છે, તે તેમની જર્નીને વધુ સરળ બનાવે છે.
શું તમે ઈન્ડસ્ટ્રીમાં કોઈપણ પ્રકારના પડકારનો સામનો કર્યો છે? પરંપરા: હા, મને લાગે છે કે આપણી ઓરિજિનાલિટી કેવી રીતે શોધી શકાય તે સૌથી મોટો પડકાર હતો. જ્યારે અમે શરૂઆત કરી રહ્યા હતા, ત્યારે અમારે સમજવાનું હતું કે જો અમે ખરેખર ઓરીજનલ હશું તો અમને જલ્દીથી નોટિસ કરવામાં આવશે. શરૂઆતમાં, અમારા ગીતો કેટલા અલગ અને વિશિષ્ટ હોવા જોઈએ તે સમજવામાં અમને સમય લાગ્યો. આ એક મોટો પડકાર હતો. શરૂઆતના ત્રણ-ચાર વર્ષ અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતા, પરંતુ અમે સખત મહેનત પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને અમારા લક્ષ્યોથી ભટક્યા નહીં. અમે અમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાને સાબિત કરવા માટે સખત મહેનત કરી.
ઇન્ડસ્ટ્રીમાં શું પરિવર્તન લાવવાની જરૂર છે? સચેત: પહેલા લોકો સાથે બેસીને કામ કરતા હતા, જે ખૂબ સારું હતું. હવે લોકો મોટે ભાગે તેમના પોતાના માર્ગને અનુસરે છે, અને તે મને યોગ્ય લાગતું નથી. હું ઈચ્છું છું કે, તમામ સર્જકો ફરી એકસાથે ગીતો બનાવવાની પ્રક્રિયામાં પાછા ફરે. અગાઉ જ્યારે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને અન્ય સંગીતકારો સાથે બેસીને કામ કરતા હતા, ત્યારે એક સરસ સમન્વય સર્જાતો હતો.
પરંપરા: હા, જ્યારે બધા સંગીતકારો અને દિગ્દર્શકો સાથે બેસે છે ત્યારે એક ટીમ બની છે. બધા સાથે મળીને ગીતો લખતા અને પછી તેને નવું સ્વરૂપ આપતા હતા. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ આનંદદાયક અને પ્રેરણાદાયી હતી. જો આપણે આ પ્રક્રિયાને ફરીથી અપનાવીએ તો તે ખૂબ જ ફાયદાકારક રહેશે.
શું તમે માનો છો કે ક્રિએટિવ ટીમોએ સાથે મળીને કામ કરવું જોઈએ? સચેત: ચોક્કસ. હું જાણું છું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં જેમનું મ્યુઝિક વર્ક થયું છે, તેમની ટીમ સખત મહેનત કરે છે. તેઓ ઘણી બધી મીટિંગોમાં ભાગ લે છે, કારણ કે ક્રિએટિવીટી એક જ સમયે નથી થતી. દરેક ગીત એક પ્રવાસ છે, અને આ પ્રવાસમાં સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે સાથે બેસીએ છીએ, ત્યારે આપણે વિચારોની આપ-લે કરીએ છીએ, અને તેના દ્વારા આપણે વધુ સારા પરિણામો મેળવી શકીએ છીએ.
પરંપરા : જો આપણે જૂની રીતે કામ કરી શકીએ, તો તે ખૂબ જ સારું હશે. જ્યારે નિર્માતાઓ, દિગ્દર્શકો અને સર્જકો બધા સાથે મળીને કામ કરે છે, ત્યારે ઓરિજિનલ સંગીત બનાવવાની પ્રક્રિયા ક્યારેય સરળ બની જાય છે. આનાથી આપણી ક્રિએટિવીટી તો વધશે જ, પરંતુ દર્શકોને ઓરિજિનલ અને હૃદયસ્પર્શી સંગીત પણ સાંભળવા મળશે.