32 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન અનંત અંબાણી કૃષ્ણ કાલી મંદિરના હવનનો હિસ્સો બન્યો છે. અનંત રવિવારે સાંજે મંદિરમાં જોવા મળ્યો હતો. તેની સાથે જાહન્વી કપૂરનો રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો. 30 જૂનની સાંજે કડક સુરક્ષા વચ્ચે અનંત અંબાણી મહારાષ્ટ્રના નેરલ પહોંચ્યા હતા. કૃષ્ણ કાલી મંદિરની બહાર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તેનું અને રાધિકા મર્ચન્ટનું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું હતું.
![કૃષ્ણ કાલી મંદિરમાં અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/01/comp-1-1_1719821099.gif)
કૃષ્ણ કાલી મંદિરમાં અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
![સ્વાગત દરમિયાન અનંત અંબાણીને શાલ પહેરાવવામાં આવી છે.](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/01/comp-1-7_1719821129.gif)
સ્વાગત દરમિયાન અનંત અંબાણીને શાલ પહેરાવવામાં આવી છે.
![અનંત અંબાણી ટ્રેડિશનલ લુકમાં મંદિર પહોંચ્યો હતો.](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/01/comp-1-2_1719821163.gif)
અનંત અંબાણી ટ્રેડિશનલ લુકમાં મંદિર પહોંચ્યો હતો.
![જાહન્વી કપૂરનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને તેનો ભાઈ વીર.](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/01/comp-1-8_1719821195.gif)
જાહન્વી કપૂરનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને તેનો ભાઈ વીર.
![અનંત અંબાણીએ કૃષ્ણ કાલી મંદિરમાં પૂજા કરી હતી.](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/01/comp-1-9_1719821362.gif)
અનંત અંબાણીએ કૃષ્ણ કાલી મંદિરમાં પૂજા કરી હતી.
મંદિરમાંથી બહાર નીકળતી વખતે મીડિયા સાથે વાત કરતા અનંત અંબાણીએ કહ્યું કે તેઓ લગ્ન પહેલા આમંત્રણ આપવા માટે નેરલના કૃષ્ણ કાલી મંદિર પહોંચ્યા છે. આ મંદિરના સ્થાપક તેના મિત્ર ભરત મેહરા છે.
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/01/comp-1-5_1719821208.gif)
12મી જુલાઈએ લગ્ન, 14મીએ રિસેપ્શન યોજાશે
બે ભવ્ય પ્રી-વેડિંગ સમારોહ પછી, અનંત અને રાધિકા 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. તેમના લગ્ન જીયો વર્લ્ડ સેન્ટરમાં થશે, જેમાં ભારત અને દુનિયાના ઘણા પ્રખ્યાત લોકો હાજરી આપવાના છે. લગ્નના બીજા દિવસે 13 જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનો નવદંપતીને આશીર્વાદ આપશે. આ પછી, 14 જુલાઈના રોજ કપલનું રિસેપ્શન થવાનું છે.
અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ સોના-ચાંદીથી બનેલું છે
અનંત અંબાણી અને રાધિકાના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. VVIP ગેસ્ટને આપવામાં આવેલા આમંત્રણ પત્રમાં ચાંદીનું મંદિર છે. અંદર 4 સોનાની મૂર્તિઓ છે. બીજો આમંત્રણ પત્ર ગોલ્ડન બોક્સમાં છે. આમાં મંદિરને બોક્સની અંદર નાના સ્વરૂપમાં રાખવામાં આવ્યું છે. આ પણ દૈવી થીમ પર આધારિત છે.
![નાનું અલમારી ખોલ્યા પછી ચાંદીનું મંદિર દેખાશે. આ મંદિરમાં ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની મૂર્તિઓ છે.](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/28/gif10_1719557145.gif)
નાનું અલમારી ખોલ્યા પછી ચાંદીનું મંદિર દેખાશે. આ મંદિરમાં ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની મૂર્તિઓ છે.
મંદિરની નીચેના બોક્સમાં કંકોતરી
લાલ રંગના બોક્સની નીચેના કમ્પાર્ટમેન્ટમાં લગ્નની કંકોતરી, ચારેય દેવતાઓની ચાંદીની નાની મૂર્તિઓ, અનંત-રાધિકાના અક્ષરોવાળો જાળીદાર હાથરૂમાલ અને પૂજાવિધિ માટે એક મોરપિચ્છ રંગનો એક હેન્ડલૂમનો સ્કાર્ફ આપવામાં આવ્યો છે. આમંત્રણ કાર્ડના પાને પાને કાર્યક્રમની વિગતો ઉપરાંત સુંદર કોતરણી સાથે દેવી-દેવતાઓની છબિઓ જોઇ શકાય છે. પ્રથમ પેજ પર ભગવાન નારાયણની ટૂંક સમયમાં લગ્ન થનાર દંપતી રાધિકા અને અનંત પર તેમના આશીર્વાદ વરસાવતાં ચિત્ર છે. આગળનું પૃષ્ઠ વર અને કન્યાની વિગતો સાથે લાલ રંગમાં બનાવવામાં આવ્યું છે.
હાથેથી લખ્યો છે પત્ર, બોક્સ ખોલતા વિષ્ણુ મંત્ર ગુંજે છે
- એક સુંદર એમ્બ્રોઇડરી કરેલ વેડિંગ બોક્સ ઉપર ભગવાન વિષ્ણુનું ચિત્ર છે.
- આ તસવીરમાં નારાયણના હૃદયમાં લક્ષ્મી બતાવવામાં આવ્યા છે
- આ બોક્સ ખોલતાની સાથે જ વિષ્ણુ મંત્ર ગુંજવા લાગે છે
- લાલ રંગનું આમંત્રણ બોક્સ ખોલતાં જ એક નાનું ચાંદીનું મંદિર દેખાય છે
- તેમાં ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની સોનાની મૂર્તિઓ છે
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/28/comp-118_1719558912.gif)
એક પાઉચમાં પશ્મિના શાલ, બીજામાં રૂમાલ
- બીજા આમંત્રણ કાર્ડમાં પ્રથમ એક નાના પરબીડીયા નીતા અંબાણીનો હાથથી લખેલો પત્ર છે
- આમાં તે પોતાની ભાવનાઓ વ્યક્ત કરીને આમંત્રણ આપી આપે છે
- આ લેટરના જુદા જુદા પેજ પર વિવિધ ધાર્મિક વિધિઓ વિશે માહિતી છે
- ઉપરના ભાગમાં વૈકુંઠ ધામનો નજારો જોવા મળે છે
- એક પાઉચમાં કાશ્મીરના કલાકારો દ્વારા બનાવેલી પશ્મિના શાલ છે
- બીજું પાઉચ ખોલતાં ત્યાં અનંત-રાધિકાના નામના પહેલા અક્ષર સાથે ભરતકામ કરેલો રૂમાલ છે
- અંતમાં ઋગ્વેદનો એક શ્લોક લખવામાં આવ્યો છે
![આ કાર્ડમાં નીતા અંબાણીનો હાથે લખાયેલો પત્ર પણ છે.](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/28/comp-119_1719558918.gif)
આ કાર્ડમાં નીતા અંબાણીનો હાથે લખાયેલો પત્ર પણ છે.
લગ્નના કાર્યક્રમો 3 દિવસ સુધી ચાલશે
અનંત અને રાધિકાએ અગાઉ માર્ચની શરૂઆતમાં અને મેના અંતમાં લગ્ન પહેલાની વિધિઓ યોજી હતી. તેમની પ્રથમ પ્રી-વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં યોજાઈ હતી, જ્યારે બીજી સેરેમની ક્રૂઝમાં યોજાઈ હતી.
![આ કપલે માર્ચની શરૂઆતમાં જામનગરમાં તેમનો પહેલો પ્રી-વેડિંગ ફંક્શન સેલિબ્રેટ કર્યું હતું.](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/28/screenshot-2024-05-27-192423_1719558949.png)
આ કપલે માર્ચની શરૂઆતમાં જામનગરમાં તેમનો પહેલો પ્રી-વેડિંગ ફંક્શન સેલિબ્રેટ કર્યું હતું.