11 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટાના નિધનથી દેશભરમાં શોકની લહેર છે. રતન ટાટાનું બુધવારે સાંજે મુંબઈમાં અવસાન થયું હતું. વર્લ્ડ પોપ્યુલર પંજાબી ગાયક દિલજીત દોસાંઝ બુધવારે જર્મનીમાં પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે તેને નિધનના સમાચાર મળતા જ કોન્સર્ટ અધવચ્ચે જ અટકાવ્યો અને તન ટાટાને શ્રદ્ધાંજલિ આપી અને તેના વિશે વાત કરી.
કોન્સર્ટ અટકાવી દિલજીતે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી કોન્સર્ટ અટકાવી અને શ્રદ્ધાંજલિ આપતા દિલજીતે કહ્યું, તમે રતન ટાટા જી વિશે બધું જાણો છો. તેમનું નિધન થયું છે. અમારી તરફથી તેમને એક નાનકડી શ્રદ્ધાંજલિ. મને આજે તેમનું નામ લેવું મહત્વપૂર્ણ લાગ્યું કારણ કે તેમણે તેમના જીવનમાં હંમેશા ખૂબ જ મહેનત કરી છે.
રતન ટાટાના જીવનને પ્રેરણારૂપ ગણાવતા દિલજીતે વધુમાં કહ્યું કે, મેં તેમના વિશે આજ સુધી જેટલું વાંચ્યું અને સાંભળ્યું છે, મેં ક્યારેય જોયું નથી કે તેમણે કોઈના વિશે ખરાબ બોલ્યા હોય. તેમના જીવનમાં તેણે હંમેશા સખત મહેનત કરી, સારું કામ કર્યું અને લોકોને ઉપયોગી થયા… આ જ જીવન છે. આજે જો આપણે તેમના જીવનમાંથી કંઈક શીખી શકીએ તો માત્ર એટલું જ શીખી શકીએ કે આપણે સખત મહેનત કરવી પડશે, સારી રીતે વિચારવું પડશે, કોઈને ઉપયોગી બનવું પડશે અને જીવનમાંથી વિદાય લઈએ ત્યારે નિર્દોષ હોઈએ.
‘દિલ-લુમિનાટી’ વર્લ્ડ ટૂર દિલજીતની વાત કરીએ તો હાલ ‘દિલ-લુમિનાટી’ વર્લ્ડ ટૂર પર છે. આ ટૂરમાં હાલ તે જર્મનીમાં છે. તે ટૂંક સમયમાં લંડન અને પછી ભારતમાં અલગ-અલગ સ્થળોએ પરફોર્મ કરશે.
રતન ટાટાનું બુધવારે થયું અવસાન 86 વર્ષના રતન ટાટાનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. 86 વર્ષીય ઉદ્યોગપતિ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. સોમવારે જ તેમની તબિયત બગડવાના સમાચાર આવ્યા હતા, પરંતુ તેમના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમને તેમના સ્વાસ્થ્ય વિશે ચાલી રહેલા સમાચારોને ખોટા ગણાવ્યા હતા. તેને કહ્યું હતું કે, તેની ઉંમરને કારણે ઊભી થતી સમસ્યાઓ માટે તે નિયમિત મેડિકલ ચેકઅપ કરાવી રહ્યો છું.