36 મિનિટ પેહલા
- કૉપી લિંક
રણબીર કપૂરે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેના માતા-પિતા વચ્ચેના સંબંધો વિશે વાત કરી છે. રણબીરે કહ્યું કે તેનું મોટાભાગનું બાળપણ તેના માતા-પિતાને ઝઘડતા જોવામાં વીત્યું છે. જેના કારણે તે ખૂબ જ ડરી ગયો હતો, રણબીરે એમ પણ કહ્યું કે,પિતા ઋષિ કપૂરે ક્યારેય તેના પર હાથ ઉપાડ્યો કે બૂમો પાડી નથી પરંતુ તેમ છતાં તે તેના પિતાથી ખૂબ ડરે છે. આ જ કારણ હતું કે તેણે ક્યારેય તેના પિતાને કોઈ વાત માટે ના નથી કહ્યું.
‘માતાપિતાનો સંબંધ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો’
નિખિલ કામથ સાથેની વાતચીતમાં રણબીરે કહ્યું, ‘મેં મારા બાળપણનો મોટાભાગનો સમય મારા માતા-પિતાના ઝઘડાઓ જોવામાં પસાર કર્યો છે. તેમને લડતા જોઈને હું ડરી જતો. મને લાગે છે કે તેમના સંબંધો રફ પેચમાંથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. આખરે બંને સાથે રહેતા હતા.
આ જ ઈન્ટરવ્યુમાં રણબીરે એ પણ જણાવ્યું કે માતા નીતુ કપૂર અને આલિયા વચ્ચેના સંબંધો કેવા છે? તેણે કહ્યું કે નીતુ અને આલિયા ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે. તેઓ એકબીજા સાથે ખૂબ જ પ્રમાણિક પણ છે, જેને જોઈને રણબીર ખૂબ જ ખુશ થાય છે’.
રણબીરે કહ્યું- પપ્પા ખાવાના અને દારૂના શોખીન હતા
નિખિલ કામથ સાથે વાત કરતા રણબીરે કહ્યું કે પિતા ઋષિ કપૂર ખૂબ જ ગુસ્સામાં હતા. પરંતુ તે વાસ્તવમાં એક ખૂબ જ સારા વ્યક્તિ હતા, તેઓ પરિવાર, કામ, ખોરાક અને વાઇનને ખૂબ પ્રેમ કરતા હતા. રણબીરે એમ પણ કહ્યું કે, જ્યારે ફિલ્મ ‘એનિમલ’માં તેનું પાત્ર તેના પિતાની ખૂબ નજીક હતું, ત્યારે વાસ્તવિક જીવનમાં તે પોતે તેના પિતાથી ડરતો હતો.
રણબીરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘રામાયણ’ આગામી દિવસોમાં રિલીઝ થશે. નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર ભગવાન રામના રોલમાં જોવા મળશે અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે.
આ સિવાય રણબીર પાસે સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બની રહેલી ‘લવ એન્ડ વોર’ ફિલ્મ છે. આ ફિલ્મમાં તેની સાથે વિકી કૌશલ અને આલિયા ભટ્ટ પણ છે. અભિનેતા પાસે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર 2’ પણ છે.